પેટના સામાન્ય કોષો જ્યારે અસામાન્ય કોષોમાં બદલાઇ જાય છે, અને નિયંત્રણમાંથી બહાર બનવાનું ચાલુ થાય છે, ત્યારે એને પેટનું કેન્સર થયું હોય એમ કહેવાય છે. પેટ પાચક પાચન તંત્રનો ભાગ છે. પેટના કેન્સરના વિવિધ પ્રકારો છે, જે કોષોના પ્રકાર અને પેટના ભાગ સાથે સંકળાયેલા છે પર આધાર રાખે છે.
કેટલાક લોકોને પેટનું કેન્સર થયું હોય છે એમને એચ. પાયલોરી ઇન્ફેક્શન પણ થયું હોય છે કહેવાય છે. એચ.પોલોરી, એ એક પ્રકારનો બેક્ટેરિયા છે જેનો ચેપ પેટ અને આંતરડા માં થાય છે. એચ. પાયલોરીનો ચેપ ક્યારેક પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, ઉબકા અથવા ઉલ્ટી જેવા લક્ષણો પૈદા કરી શકે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો, તે પેટના કેન્સર તરફ દોરી શકે છે.
શરૂઆતમાં, પેટનું કેન્સર ના કોઈપણ લક્ષણો દેખાતા નથી હોતા. જ્યારે પેટનું કેન્સર થાય છે તો લક્ષણો આ પ્રમાણે હોઈ શકે છે:
- વજનમાં ઘટાડો
- પેટમાં દુખાવો, ખાસ કરીને ઉપલા પેટમાં
- ગળી જવામાં મુશ્કેલી
- ભૂખ ન હોવી, અથવા ઓછા પ્રમાણમાં ખોરાક ખાધા પછી સંપૂર્ણ લાગણી થવી
- ઉબકા આવવા
- થાક લાગે છે અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય છે (“એનિમિયા” – Anaemia – તરીકે ઓળખાતી સ્થિતિમાં ખૂબ ઓછા લાલ રક્તકણો હોય છે)
આ બધા લક્ષણો પેટનું કેન્સર નથી તેવી પરિસ્થિતિઓને કારણે પણ થઈ શકે છે. પરંતુ જો તમને આ લક્ષણો છે, તો તમારા ડૉક્ટરને બતાવો.
હા. પેટના કેન્સર માટેના પરીક્ષણો નિમ્નલિખિત હોઈ શકે છે:
- અપર એન્ડોસ્કોપી (Upper Endoscopy) – મોટેભાગે, પેટના કેન્સર માટે આ પરીક્ષણ કરવામાં આવે છે. આ પરીક્ષણ દરમિયાન, ડૉક્ટર પ્રકાશવાળો કેમેરાવાળી પાતળા નળીને તમારા મોં થી પેટ માં ઉતારે કરે છે. આ ડૉક્ટર ને પેટના અસ્તર નું નિરીક્ષણ કરી શકે છે.
- બાયોપ્સી (Biopsy) – ડોક્ટર્સ, આ પરીક્ષણ અપર એન્ડોસ્કોપી દરમિયાન કરતા હોય છે. બાયોપ્સી દરમિયાન, ડૉક્ટર પેટના અસામાન્ય દેખાતા વિસ્તારમાંથી પેશીના નાના નમૂના લે છે. પછી બીજા ડૉક્ટર માઇક્રોસ્કોપ હેઠળ આ પેશીઓને જુએ છે.
- રક્ત પરીક્ષણો
- પેટના ઇમેજિંગ પરીક્ષણો, જેમ કે સીટી સ્કેન (CT Scan) – ઇમેજિંગ પરીક્ષણો શરીરની અંદરના ચિત્રો બનાવે છે.
તમારા ડૉક્ટર એચ. પાયલોરી ચેપ માટે પણ તપાસ કરશે. ડોકટરો આ જુદી-જુદી રીતે કરી શકે છે. તેમાં પેટની બાયોપ્સી જોવી અથવા શ્વાસની તપાસ, રક્ત પરીક્ષણો, અથવા અન્ય પ્રયોગશાળા ના વિશેષ પરીક્ષણો પણ હોઈ શકે છે.
કેન્સર સ્ટેજીંગ એ એક એવી રીત છે જેમાં ડોકટરો શોધી કાઢે છે કે — “શું કેન્સર જ્યાંથી શરૂ થયું છે ત્યાંની પેશીના સ્તરની આસપાસ ફેલાઈ ગયું છે?”, અને જો આમ છે “તો તે કેટલે દૂર સુધી ફેલાઈ ગયું છે?”. તમારા માટે યોગ્ય ઉપચાર તમારા પેટના કેન્સરના પ્રકાર અને તબક્કો, અને તમારી અન્ય તબીબી સમસ્યાઓ પર ઘણો આધાર રાખે છે.
પેટના કેન્સરની સારવાર સામાન્ય રીતે નીચેના એક અથવા વધુ સાથે કરવામાં આવે છે:
- કેન્સરને દૂર કરવા માટેની શસ્ત્રક્રિયા – શસ્ત્રક્રિયા દરમિયાન, ડોકટર તમારા પેટના ભાગ ને અથવા સમપૂર્ણ પેટ ને કાઢવાની શસ્ત્રક્રિયા કરી શકે છે. જો ડોકટર તમારા આખ્ખા પેટને નીકાળી દે છે, તો તે તમારી પાચનતંત્ર ને ફરીથી કનેક્ટ કરશે એટલે કે જોડશે જેથી તમે ખાઇ શકો.
- કીમોથેરપી (Chemotherapy) – કેન્સરના કોષોને નષ્ટ કરનાર અથવા વધતી અટકાવવા માટેની દવાઓ ની પ્રક્રિયા ને કેમોથેરાપી કહેવાય છે. કેટલીકવાર, લોકો શસ્ત્રક્રિયા કરતા પહેલા કીમોથેરપી કરાવે છે.
- રેડિયેશન થેરેપી – રેડિયેશન કેન્સરના કોષોને મારી નાખે છે.
- ઇમ્યુનોથેરાપી (Immunotherapy) – કેન્સરની વૃદ્ધિને રોકવા માટે શરીરની ચેપ ને લડવાની સિસ્ટમ (“રોગપ્રતિકારક શક્તિ”) સાથે કામ કરતી દવાઓ માટે ની પ્રક્રિયા ને ડોકટરો — ઇમ્યુનોથેરાપી (Immunotherapy) કહે છે.
પેટનું કેન્સર કેટલીકવાર સારવારથી મટાડવામાં આવે છે. જ્યારે કેન્સર પ્રારંભિક તબક્કે જોવા મળે છે ફક્ત ત્યારે જ આ સંભવિત છે. પરંતુ, ઘણીવાર, પેટનું કેન્સર પ્રારંભિક તબક્કે જોવા મળતો નથી. જો તમારા પેટનું કેન્સર મટતો નથી, તો તમારા ડૉક્ટર તમારા લક્ષણોની સહાય માટે અન્ય સારવાર કરી શકે છે.
જો તમને એચ. પાયલોરી ચેપ છે, તો તમારા ડૉક્ટર તેની દવાઓ થી સારવાર કરશે. આમાં 1 થી 2 અઠવાડિયા સુધી, 3 અથવા વધુ દવાઓ લેવી પડી શકે છે. એચ. પાયલોરી ચેપ માટે દવા લેવાથી તમારા કેન્સરમાંથી મુક્તિ નહીં મળે. પરંતુ તે સારવાર પછી, ભવિષ્યમાં તમારો કેન્સર ફરી પાછું આવે તેવી સંભાવના ઓછી થઈ શકે છે.
સારવાર પછી, કેન્સર પાછું આવે છે કે કેમ તે જોવા માટે તમારા ડૉક્ટર નિયમિત પણે તમારી તપાસ કરશે. અનુવર્તી પરીક્ષણોમાં ટેસ્ટ્સ, રક્ત પરીક્ષણો, અપર એન્ડોસ્કોપી અથવા ઇમેજિંગ પરીક્ષણો શામેલ હોઈ શકે છે.
તમારે ઉપર સૂચિબદ્ધ લક્ષણો માટે પણ ખાસ ધ્યાન રાખી ને જોવું જોઈએ. આ લક્ષણો હોવાનો અર્થ એ થઈ શકે છે કે તમારા પેટનું કેન્સર પાછું આવી ગયું છે. જો તમને કોઈ લક્ષણો હોય તો તમારા ડૉક્ટર ને તરત જ જણાવો.
જો તમારું પેટનું કેન્સર પાછું આવે છે અથવા ફેલાય છે, તો તમારી પાસે વધુ કિમોચિકિત્સા અથવા રેડિયેશન થેરેપી ના વિકલ્પો છે. તમારા લક્ષણોમાં મદદ કરવા તમે અન્ય ઉપચાર પણ કરી શકો છો.
મુલાકાત અને પરીક્ષણો વિશે તમારા ડૉક્ટરની બધી સૂચનાઓનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. સારવાર દરમિયાન તમને થતી કોઈપણ આડઅસર અથવા સમસ્યાઓ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરવી પણ મહત્વપૂર્ણ છે.
પેટના કેન્સરની સારવાર કરાવવા માટે ઘણા વિલ્કપો છે, જેમ કે “કઈ સારવાર કરાવવી?”.
તમારા ડૉક્ટરને હંમેશા જણાવો કે તમને કોઈ પણ સારવાર વિશે કેવું મંતવ્ય છે. કોઈપણ સમયે જ્યારે તમને સારવાર આપવામાં આવે છે, ત્યારે પૂછો:
- આ સારવારના ફાયદા શું છે? શું તે મને લાંબા સમય સુધી જીવવામાં મદદ કરે છે? તે લક્ષણો ઘટાડશે અથવા અટકાવશે?
- આ ટ્રીટમેન્ટમાં ડાઉનસાઇડ (આડઅસર અથવા નુકસાન) શું છે?
- શું આ સારવાર ઉપરાંત અન્ય વિકલ્પો પણ છે?
- જો હૂં આ સારવાર ન કરવું તો શું થઇ શકે છે?