...

સ્વાદુપિંડનો રોગ

સ્વાદુપિંડનો રોગ ની સારવાર

સ્વાદુપિંડનો રોગ એટલે કે પેનક્રિયાટાઇટિસ,  એક એવી સ્થિતિ છે જેમાં પેટમાં તીવ્ર દુખાવો કરી શકે છે.

સ્વાદુપિંડ એ એક અંગ છે જે એવા હોર્મોન્સ અને રસ બનાવે છે જે ખોરાક ને તોડવામાં મદદ કરે છે. પેનક્રિયાટાઇટિસ નો અર્થ એ છે કે જ્યારે આ અંગમાં સોજો આવે છે અથવા બળતરા થાય છે.

મોટાભાગના લોકો કોઈપણ સ્થાયી અસર વિના પેનક્રિયાટાઇટિસનું નિયંત્રણ કરે છે. પરંતુ અમુક લોકો ખૂબ જ માંદા પડે છે.

પેનક્રિયાટાઇટિસ થાવાના ઘણા કારણો છે. પરંતુ, મોટાભાગના કિસ્સાઓમાં પિત્તાશય અથવા દારૂના દુરૂપયોગને કારણે થાય છે:

  • “પિત્તાશય ની પાથરી / ગોલસ્ટોન્સ” (Gallstones)- ગોલસ્ટોન્સ એ સખત ગઠ્ઠો છે જે પિત્તાશય કહેવાતા અંગની અંદર બનતું હોય છે. પેનક્રિયાટાઇટિસ અને ગોલસ્ટોન્સ બંને એક જ નળીમાં ઉતરે છે. જો તે નળી એક પિત્ત-પથ્થર / ગોલસ્ટોન્સ થી ભરાઈ જાય, તો બેઉ માંથી કોઈ પણ અવયવો કોઈ પણ રસ ડ્રેઇન કરી શકશે નહીં. જ્યારે એવું થાય છે થાય છે, ત્યારે બંને અવયવોમાંથી પ્રવાહી પાછી આવે છે, જેનાથી પીડા થઈ શકે છે.
  • આલ્કોહોલનો / દારૂનો અતિરેક – જે લોકો ખૂબ લાંબા સમય સુધી અતિશય આલ્કોહોલ / દારૂ પીતા હોય છે, તેઓને કેટલીકવાર આલ્કોહોલથી સંબંધિત પેનક્રિયાટાઇટિસનો રોગ થાય છે. સામાન્ય રીતે, આ પ્રકાર ના પેનક્રિયાટાઇટિસ માં જે લોકો ઘણું દારૂ પીધા પછી, પીવાનું બંધ કર્યું હોય એના 1 થી 3 દિવસ પછી અચાનક પીડા અનુભવવાનું શરૂ કરે છે. તેમને સામાન્ય રીતે ઉબકા અને ઉલ્ટી પણ થાય છે.

એવા અમુક રક્ત પરીક્ષણો છે જે તમારા ડૉક્ટરને પેનક્રિયાટાઇટિસ હોય થયું છે કે નહીં એ જણાવી શકે છે. એ પણ શક્ય છે કે તમારા ડૉક્ટર તમારા  પૅટ નો સોજો તથા પેટમાં દુખાવો / પીડા, શું પેનક્રિયાટાઇટિસ અથવા બીજી કોઈ શારીરિક સમસ્યા ને કારણે ને થાય છે એ તપાસવા માટે તમારા પેટનું “સીટી સ્કેન” કહેવાતા એક વિશેષ પ્રકારનો એક્સ-રે કરાવવા કેહેશે.

સામાન્ય રીતે, પેનક્રિયાટાઇટિસનો ઉપચાર હોસ્પિટલમાં કરવામાં આવે છે. ત્યાં, તમારા ડૉક્ટર તમને પ્રવાહી અને પીડા ની દવાઓ આપી શકે છે જેથી તમને સારું લાગે. જો તમે ખાઈ શકતા ન હોવ, તો તેઓ તમને નળી દ્વારા ખોરાક આપી શકે છે.

પેનક્રિયાટાઇટિસનો રોગ ધરાવતા અમુક લોકોને ચેપ લાગે છે, જેનો ઉપચાર એન્ટીબાયોટીક્સથી કરી શકાય છે. પેનક્રિયાટાઇટિસના કારણે થતી અન્ય સંભવિત સમસ્યાઓ એ સ્વાદુપિંડ અંગની સંપૂર્ણ રીતે ખરાબ થઇ ને બંધ થઇ જવું અથવા તો એની આસપાસ પ્રવાહી બિલ્ડ-અપ (ભરાઈ જવું) થઇ જવું હોઈ શકે છે છે. પેનક્રિયાટાઇટિસની આસપાસ ફ્લુઇડ બિલ્ડ-અપ ઘણીવાર તેની જાતે જ જતું રહે છે જાય છે, પરંતુ કેટલીકવાર તેને શસ્ત્રક્રિયા દ્વારા ડ્રેઇન કરવાની અથવા તેની સારવાર કરવાની જરૂર પડે છે. સામાન્ય રીતે, સ્વાદુપિંડ અંગની નકામું થઇ જવાની સ્થિતિ ને ડોકટરોની ટીમ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

ઉપચારનો બીજો મહત્વપૂર્ણ ભાગ એ છે કે પેનક્રિયાટાઇટિસ થવા ના કારણોથી છૂટકારો મેળવવાનો છે. જો તમને પેનક્રિયાટાઇટિસ પિત્તાશય ની પાથરી / ગોલસ્ટોન્સ ના લીધે થાય છે, તો તમારા ડૉક્ટર ને ગોલસ્ટોન્સ ની સારવાર પણ કરવાની જરૂર પડી શકે છે. જે લોકો નો આલ્કોહોલના ઉપયોગથી પેનક્રિયાટાઇટિસનો રોગ થયો હોય એ લોકોએ ફરીથી પેનક્રિયાટાઇટિસનો રોગ થતો અટકાવવા માટે આલ્કોહોલ છોડી દેવાનું શીખવું અત્યંત આવશ્યક છે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Rate this post
Dr. Harsh J Shah

OncoBot LogoOncoBot

👋 Hello! How can I help you today?

Exclusive Health Tips and Updates

Dr Harsh Shah - GI & HPB Oncosurgeon in India
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.