સાલ્મોનેલ્લા ચેપ એ એવી બીમારી છે જેમાં ઉબકા, ઉલ્ટી, અને ઝાડા થઈ શકે છે. ” સાલ્મોનેલ્લા” એક પ્રકારનો બેક્ટેરિયા છે. મોટેભાગે, લોકો બેક્ટેરિયા ધરાવતા ખોરાક ખાવાથી અથવા સ્પર્શ કરીને ચેપ થઇ જાય છે. ઘણીવાર, આ ચિકન અથવા ઇંડા, અથવા ડેરી ઉત્પાદનો થી થતું હોય હોય છે. તમને ચિકન, બતક, અને કાચબા જેવા કેટલાક પ્રાણીઓને સ્પર્શ કરવાથી પણ ચેપ થઇ શકે છે.
બેક્ટેરિયા ધરાવતા ખોરાક ખાવાથી (અથવા પ્રાણીને સ્પર્શ કરવા થી) થોડા દિવસોમાં જ લક્ષણો જોવા મળે છે. નિમ્નલિખિત લક્ષણો હોઈ શકે છે:
તમને, તમારી સિસ્ટમમાં કેટલા બેક્ટેરિયા ચેપ વડે અંદર ઉતાર્યા છે, તેના આધારે લક્ષણો ઓછા કે વધુ ગંભીર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જેણે થોડું જ ખાયું હોય એની તુલના માં જે વ્યક્તિએ બેક્ટેરિયાવાળો ઘણો ખોરાક લીધો છે, તેનામાં કદાચ ખરાબ લક્ષણો હશે, અને તે લાંબા સમય સુધી બીમાર રહેશે, જ ખાય છે.
સાલ્મોનેલ્લા નો ચેપ સામાન્ય રીતે ગંભીર હોતો નથી, અને મોટાભાગના લોકો થોડા જ દિવસોથી એક અઠવાડિયા સુધી માં સજા થઇ જાય છે. પરંતુ, કેટલાક કિસ્સાઓમાં, બેક્ટેરિયા લોહીના પ્રવાહમાં ઉતરી જાય છે. જો આવું થાય, તો અમુક સ્થતિઓ વાળા લોકો ખૂબ માંદા થઈ શકે છે. આમાં એવા લોકો શામેલ છે જેમની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય કરતા નબળી છે, અથવા કેન્સર અથવા અન્ય કોઈ ગંભીર રોગ છે.
તમારા ડૉક્ટર ને મળો જો તમે:
હા, પરંતુ દરેકને પરીક્ષણ કરાવવાની જરૂર હોતી નથી. જો તમારા લક્ષણો ગંભીર ન હોય તો, તમારે કદાચ પરીક્ષણની જરૂર નહીં પડે. પરંતુ જો તમને સાલ્મોનેલ્લા ચેપથી ખૂબ જ બીમાર થવાનું જોખમ વધારે છે, અને જો તમને ગંભીર લક્ષણો ન હોય તો પણ તમારા ડૉક્ટર ટેસ્ટ્સ કરાવવા કહી શકે છે. ભારે જોખમ વાળા લોકોમાં નબળા રોગપ્રતિકારક શક્તિવાળા બાળકો, 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, તથા 50 વર્ષથી વધુ વયસ્કોનો સમાવેશ થાય છે.
જો તમારા ડૉક્ટર કોઈ પરીક્ષણ કરવાનું નક્કી કરે છે, તો આમાં સાલ્મોનેલ્લા બેક્ટેરિયાની તપાસ માટે તમારા મળ નો નમૂના લેવાનો સમાવેશ થાય છે. પરંતુ ,પરીક્ષાનું પરિણામ મેળવવા માટે 2 અથવા 3 દિવસનો સમય લાગી શકે છે. જો તમને સાલ્મોનેલ્લા ચેપથી ખૂબ માંદગી થવાનું જોખમ વધારે છે, તો તમારા ડૉક્ટર સારવાર શરૂ કરતા પહેલા તમારા પરીક્ષણ પરિણામોની રાહ જોશે નહીં.
તે સામાન્ય રીતે તેની જાતે જ જાય છે, તેથી મોટાભાગના લોકોને સારવારની જરૂર હોતી નથી. પરંતુ જો તમે ખૂબ બીમાર છો, તો તમારી હોસ્પિટલમાં સારવાર કરાવવાની જરૂર હોઈ શકે છે. ડોકટરો એક પાતળી નળી — જે નસમાં જાય છે, જેને “IV” કહેવામાં આવે છે — દ્વારા એન્ટિબાયોટિક્સ આપી શકે છે.
જો તમને સાલ્મોનેલ્લા ચેપથી ખૂબ માંદગી થવાનું જોખમ વધારે છે, તો તમારા ડૉક્ટર એન્ટિબાયોટિક ગોળીઓ લખી શકે છે.
જો તમારી રોગપ્રતિકારક શક્તિ સામાન્ય છે, તો તમારે કદાચ ફક્ત થોડા દિવસો માટે એન્ટિબાયોટિક્સ લેવાની જરૂર છે. પરંતુ, જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, અથવા ચેપથી કોઈ મુશ્કેલીઓ છે, તો તમારે 2 અઠવાડિયા અથવા તેથી વધુ સમય સુધી એન્ટિબાયોટિક્સની જરૂર પડી શકે છે. એન્ટિબાયોટિક્સ ચેપમાંથી છૂટકારો મેળવવા અને તેને પાછા આવવાથી બચાવે છે.
હા. તમે કરી શકો છો:
હા. તમે નિમ્નલિખિત આમ પ્રયોગો દ્વારા ચેપ મેળવવાની અથવા ફેલાવાની શક્યતાને ઘટાડી શકો છો:
જો તમને લાગે કે તમને સાલ્મોનેલ્લા ચેપ લાગી શકે છે, તો તમારા ડૉક્ટર અથવા મિડવાઇફ ને વાત કરો. મોટાભાગની સગર્ભા સ્ત્રીઓને સારવારની જરૂર હોતી નથી. જો તમારી નિયત તારીખ નજીક હોય, અને તમે ખૂબ બીમાર પાડો તો તમારે સારવારની જરૂર પડી શકે છે.
WhatsApp us