...

બાળકો માં અપેન્ડેસાયટીસ( આંત્રપુચ્છ ના સોજાની) બીમારી

  • dp¡V$p Ap„sfX$p„“p (A„N°¡Ædp„ L$p¡gp¡“ A’hpsp¡ BÞV¡$[õV$“) A„rsd R>¡X¡$ fl¡gp¡ Ap„Nmu “p ApL$pf“p¡ A¡L$ ‘psmp¡ ‘pDQ S>¡hp¡ cpN A¡V$g¡ A¡‘¡ÞX$un (Ap„Ó‘yÃR>).

માઇક્રોસ્કોપિક કોલાઇટિસ માં સતત પાણીયુક્ત ઝાડા થાય છે, અને લોહિયાળ નથી હોતા. મોટાભાગના લોકોમાં, દિવસમાં 4 થી 9 પાણીદાર ઝાડા થાય છે હોય છે, પરંતુ કેટલાક લોકો ને વધુ થતા હોય છે. આ અતિસાર અઠવાડિયાથી મહિના સુધી ચાલે છે.

લોકોમાં ક્યારેક અન્ય લક્ષણો પણ દેખાતા હોય છે. આમાં સામાન્ય રીતે વજન ઘટવું, પેટમાં દુખાવો થવો, અથવા ખૂબ થાકેલું લાગવું.

હા. તમારા ડૉક્ટર એક પરીક્ષા કરશે અને વિવિધ પરીક્ષણોનો કરાવશે જેના થી અતિસારના અન્ય કારણોને બાકાત કરશે, અને માઇક્રોસ્કોપિક કોલાઇટિસનું નિદાન કરશે. આમાં નિમ્નલિખિત હોઈ શકે છે:

  • રક્ત પરીક્ષણો
  • તમારી મળ ના નમૂના પર લેબ પરીક્ષણો
  • “કોલોનોસ્કોપી”(Colonoscopy) અથવા “ફ્લેક્સીબલ સિગ્મોઇડસ્કોપી” (flexible sigmoidoscopy) – આ એક પ્રક્રિયા થી ડૉક્ટર તમારા કોલોનની અંદરની તરફ જોઈ શકે છે. ડૉક્ટર તમારા ગુદામાં, અને તમારા ગુદામાર્ગ અને કોલોન માં એક પ્રકાશવાળા, કેમેરાવાળી પાતળી નળી દાખલ કરશે. આ પ્રક્રિયા દરમિયાન, ડૉક્ટર બાયોપ્સી (Biopsy) નામની એક પરીક્ષણ પણ કરશે. બાયોપ્સી માટે, તે અથવા તેણી તમારા કોલોનમાંથી પેશીના નાના નમૂના લેશે. પછી બીજા ડૉક્ટર માઇક્રોસ્કોપિક કોલાઇટિસની તપાસ માટે માઇક્રોસ્કોપ હેઠળના નમૂનાઓ જોશે. બાયોપ્સી જ એક માત્ર પરીક્ષણ છે જે તમને માઇક્રોસ્કોપિક કોલાઇટિસ છે કે નહીં તે ખાતરી થી દર્શાવી શકે છે.

તમારી વ્યક્તિગત પરિસ્થિતિ પર સારવાર આધારિત છે. તેમાં સામાન્ય રીતે નીચેનામાંથી એક અથવા વધુ સારવારનો સમાવેશ થાય છે:

  • દવામાં પરિવર્તન – જો તમારા ડૉક્ટર ને લાગે છે કે તમારા લક્ષણો તમે લીધેલી દવાને કારણે થાય છે, તો તે અથવા તેણી ભલામણ કરશે કે તમે તે દવા લેવાનું બંધ કરો.
  • એન્ટી-ડાઇરર્હીયા (Anti-Diarrhea) દવાઓ, જેમ કે લોપેરામાઇડ – આ દવાઓ તમારી મળની થવાની થવાની સંખ્યા ઘટાડે છે.
  • બ્યુડેસોનાઈડ નામની એક સ્ટીરોઈડ દવા – આ દેવા, કેટલાક એથ્લેટ્સ ગેરકાયદેસર રીતે લેતા સ્ટીરોઇડ્સની જેવી નથી. આ દવા કોલોનમાં સોજો ઘટાડવામાં મદદ કરે છે.

જો આ ઉપચાર તમારા લક્ષણોને સરળ બનાવવા માટે પૂરતી મદદ ન કરે તો તમારા ડૉક્ટર ને જણાવો. બીજી દવાઓ અથવા સારવાર પણ છે જે મદદ કરી શકે છે.

કેટલાક લોકોને લાંબા ગાળા માટે સારવાર જરૂરી હોઈ શકે છે. કારણ કે કેટલીકવાર, સારવાર બંધ થયા પછી લક્ષણો પાછા મેહસૂસ કરવાના  ચાલુ થઇ જાય છે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah

Subscribe to Newsletter