...

પિત્તાશય કાઢવાનું

  • પિત્તાશય એ એક નાનો, પિઅર-આકારનો અંગ છે જે તમારા યકૃત હેઠળ છુપાયેલો હોય છે. તે પિત્ત સંગ્રહિત કરે છે, એટલે કે એક એવું પ્રવાહી જે યકૃતમાં બને છે અને શરીરને ચરબી તોડવામાં મદદ કરે છે. જ્યારે તમે ચરબી વાળું ભોજન લો, ત્યારે પિત્તાશય પિત્તને એક નળીમાં ખાલી કરી દે છે, જેને “પિત્ત નળી” કહેવામાં આવે છે. પિત્ત નળી પાચનમાં મદદ કરવા માટે પિત્તને નાના આંતરડામાં લઈ જાય છે.

પિત્તાશયને કાઢવાનું એટલે પિત્તાશયને શરીર માંથી દૂર કરવાની શસ્ત્રક્રિયા છે. આ શસ્ત્રક્રિયાને “કોલેસીસ્ટેકટોમી” પણ કહેવામાં આવે છે.

પિત્તાશયને કાઢવાની 2 મુખ્ય રીતો છે:

  • લેપ્રોસ્કોપિક સર્જરી (Laparoscopic Surgery)- એટલે કે સર્જન શરીરની અંદર જોવા માટે, જેના અંતમાં લાઇટ પ્રકાશ વાળો એક નાનો કેમેરો લાગેલો હોય એવી લાંબી, પાતળી નળીનો ઉપયોગ કરે છે. (લેપ્રોસ્કોપને ટૂંકમાં “સ્કોપ” કહેવામાં આવે છે). આ પ્રકારની શસ્ત્રક્રિયા માટે, સર્જન થોડા નાના કાપા / ચીરા બનાવે છે. પછી તે અથવા તેણીની, આ ચીરો દ્વારા લેપ્રોસ્કોપ, અને એક અન્ય ચીરો દ્વારા અન્ય ખાસ સાધનો શરીર માં દાખલ કરે છે. પછી, સર્જન સ્કોપ અને સાધનોનો ઉપયોગ કરી ને શસ્ત્રક્રિયા (ઓપરેશન) કરે છે. યુ.એસ. માં મોટા ભાગના પિત્તાશયને કાઢવાની શસ્ત્રક્રિયામાં લેપ્રોસ્કોપિક સર્જરીનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીકવાર, જોકે, ખુલ્લી શસ્ત્રક્રિયા ની જરૂરી પડે છે, જયારે પિત્તાશય અને પિત્ત નળી ખૂબ જ ચેપગ્રસ્ત હોય છે અથવા તો લેપ્રોસ્કોપિક સર્જરી સુરક્ષિત રીતે કરવા માટે તે ખુબ જ ખરાબ થયી ગયી હોય છે.
  • ખુલ્લી શસ્ત્રક્રિયા – એટલે કે સર્જરી માટે તમારા પેટમાં એક મોટો ચીરો બનાવે છે, જેથી તે સીધી સર્જરી કરી શકે.

સૌથી સામાન્ય કારણ, “પિત્તાશય ની પાથરી / ગોલસ્ટોન્સ” (Gallstones) ની સારવાર માટે છે. ગોલસ્ટોન્સ એવા નાના પથ્થરો છે જે પિત્તાશયની અંદર બને છે. આ પત્થરો, જ્યાં થી પિત્ત વહેતુ હોય છે એવી બધી નળીઓને અવરોધિત કરી શકે છે. પત્થરો થી બળતરા, પીડા, અને અન્ય લક્ષણો પેદા થાય છે.

આ લેખ પિત્તાશયની સારવાર માટે પિત્તાશયને દૂર કરવા વિશે છે. પિત્તાશયના કેન્સરની સારવાર માટે પણ લોકો પિત્તાશયને કઢાવી શકે છે. પરંતુ, જો શસ્ત્રક્રિયાનું કરાવવાનું કારણ કેન્સર છે, તો તેમાં સામાન્ય રીતે પિત્તાશય સિવાય વધુ અંગો કાઢવાની પરિસ્થિતિ પણ બની શકે છે.

શસ્ત્રક્રિયા પહેલાં:

તમારું યકૃત સામાન્ય રીતે કામ કરે છે કે નહીં તે તપાસવા માટે તમારા ડૉક્ટર રક્ત પરીક્ષણો કરશે.તમારા ડૉક્ટર અલ્ટ્રાસાઉન્ડ (Ultrasound) તરીકે ઓળખાતી એક ઇમેજિંગ ટેસ્ટનો પણ કરવા કહી શકે છે. એમાં તમારા શરીરની અંદરના ચિત્રો બનાવવા માટે ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે. આ ટેસ્ટ બતાવે છે કે, શું તમને ગોલસ્ટોન્સ થયી ગયા છે, અને શું પિત્ત નળી, વિસ્તૃત અથવા અવરોધિત છે.

જો પિત્ત નળી કોઈ પથ્થર (ગોલસ્ટોન્સ) દ્વારા અવરોધિત હોય, તો તમારા ડૉક્ટર (ERCP) “ઇઆરસીપી” નામની પ્રક્રેયા કરાવવા કહેશે. ઇઆરસીપી એટલે “એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેડ કોલેનજીઓપૅનક્રિએટોગ્રાફી” (Endoscopic Retrograde Cholangiopancreatography). આ પ્રક્રિયા દરમિયાન, ડૉક્ટર તમારા ગળા નીચે “એન્ડોસ્કોપ” નામની નળી નાખે છે. એન્ડોસ્કોપ ના અંતમાં એક પ્રકાશ વાળો નાનો કેમેરા હોય છે.

ડૉક્ટર નળીને, તમારા પેટ થી આગળ, અને આંતરડામાં તે સ્થળે જ્યાં પિત્ત નળી આંતરડામાં ખાલી થાય છે, ત્યાં સુધી આગળ વધારે છે. પછી ડૉક્ટર પિત્તાશય, યકૃત, અને સ્વાદુપિંડ તરફ દોરી જતી નળીમાં એક ખાસ રંગને ઇન્જેક્ટ કરે છે, જે એક્સ-રે પર દેખાય શકે છે, અને પછી તેનો એક્સ-રે લે છે. આ રીતે, તે અથવા તેણી જોઈ શકે છે કે રંગ ક્યાં જાય છે.

કેટલાક કિસ્સાઓમાં, ડૉક્ટર એન્ડોસ્કોપનો ઉપયોગ કેટલાક પિત્તાશયને દૂર કરવા અથવા નળીના ઉદઘાટનને પહોળા કરવા માટે પણ કરી શકે છે જેથી નાના પત્થરો આરામ થી પસાર થઈ ને બહાર નીકળી જઈ શકે.

શસ્ત્રક્રિયા દરમિયાન અને પછી ના સમય માટે, તમારા ડૉક્ટર ચેપનું જોખમ ઘટાડવા માટે તમને પાતળી નળી, જે નસમાં જાય છે અને જેને “IV” કહેવામાં આવે છે, એના દ્વારા એન્ટિબાયોટિક્સ (Antibiotics) આપી શકે છે.

જો તમને પિત્તાશયની સારવાર માટે શસ્ત્રક્રિયા કરાવેલી હોય, તો તેનો મુખ્ય ફાયદો એ છે કે તે તમારા તકલીફ દાયી લક્ષણોને જતા રહેશે.

શસ્ત્રક્રિયાના જોખમો ઓછા છે, પરંતુ નિમ્નલિખિત જોખમો હોઈ શકે છે:

  • પિત્તાશયની પાસેની અન્ય પિત્ત નલિકાઓને નુકસાન
  • પિત્ત લિક થાય છે
  • રક્તસ્ત્રાવ થવો
  • આંતરડાને નુકસાન થવું
  • ચેપ લાગવો
  • પિત્ત નળીમાં પથરી “ફસાયેલા” રહી જવી (જેને શસ્ત્રક્રિયા પછી ERCP સાથે દૂર કરવાની જરૂર રહેશે)

કેટલાક કિસ્સાઓમાં, પિત્તાશયને કાઢ્યા પછી પણ અમુક વ્યક્તિને પેટમાં દુખાવો થવાનું ચાલુ રહેતું હોય છે.

તમે લેપ્રોસ્કોપિક અથવા ઓપન સર્જરી કરાવી છે, તેના પર નીર્ધાર છે કે તમારી રિકવરી (Recovery) કેટલી અલગ છે.

જો તમે લેપ્રોસ્કોપિક સર્જરી કરાવી હોય, તો તમે શસ્ત્રક્રિયા કરી હોય તે જ દિવસે કદાચ હોસ્પિટલ છોડી ને ઘરે જઈ શકશો. પરંતુ, આવા કોઈ સંજોગ હોઈ શકે છે જેમાં આ તમારે એક રાત્રી માટે હોસ્પિટલ માં રોકાવવું પડે. પેટના કાપ નાના હોવા છતાં, અંદરનું ઓપરેશન એવું જ હતું જેમ કે તમે ઓપન સર્જરી એટલ કે ખુલ્લી શસ્ત્રક્રિયા કરાવી હોય. તમારા ડૉક્ટર ની ઈચ્છા પ્રમાણે તમારે આરામ કરવો અને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ભારે પ્રશિક્ષણ, રમતો, અને તરણને ટાળો.

જો તમે ખુલ્લી સર્જરી કરાવી હોય, તો તમે કદાચ 1 થી 2 દિવસ હોસ્પિટલમાં રોકાવું પડી શકે છે. ત્યાં હોવ ત્યારે, શક્ય બને તેટલી વહેલી તકે ચાલવાનું શરૂ કરો. ઉપરાંત, તમારા ડૉક્ટર ની સૂચના પ્રમામને શ્વાસની કસરત કરો તો વધારે સારું રહેશે. તમે ઘરે ગયા પછી, તમારે તમારી મોટાભાગની સામાન્ય પ્રવૃત્તિઓ કરવામાં સમર્થ હોવું જોઈએ. પરંતુ, તમારે થોડા અઠવાડિયા સુધી ભારે પ્રશિક્ષણ, રમતો, અને તરવું ટાળવું જોઈએ.

જો તમે રિકવરી (Recovery) દરમિયાન માદક દ્રવ્ય વાળી પેઇન કિલર (Painkillers) ની દવા લેતા હો, તો તમને કબજિયાત થઈ શકે છે. આ સમસ્યાને રોકવા માટે સ્ટૂલ સોફ્ટનર જેવી દવાઓ લેવા થી સારું રહેશે.

જો તમને શસ્ત્રક્રિયા પછીના અઠવાડિયામાં નીચેના લક્ષણો દેખાય, તો તમારા ડૉક્ટર ને તરત જ ફોન કૉલ કરવો:

  • તાવ આવવો અથવા શરદી થવી
  • તમારી શસ્ત્રક્રિયાના કટની આસપાસ લાલાશ અથવા સોજો આવવો
  • ઉબકા અથવા ઉલ્ટી થવી
  • ખેંચાણ અથવા પેટમાં તીવ્ર પીડા થવી
  • ફૂલેલું લાગવું (તમારા પેટમાં ગેસ ભરાયેલો હોય તેવો અહેસાસ થવો)
  • પીળી ત્વચા અથવા આંખો થવી
  • એવો પેશાબ, જેનો રંગ ખુબ જ ઘેરો હોય

શસ્ત્રક્રિયા પાચનને ખાસ અસર કરતું નથી. પરંતુ, શસ્ત્રક્રિયા કરાવનારા લગભગ અડધા લોકોમાં પછીથી હળવા લક્ષણો હોય છે, જેમાં ઢીલા મળ નીકળવું, ગેસ, અથવા પેટનું ફૂલવું, ઇત્યાદિ. સામાન્ય રીતે, આ લક્ષણો આપમેતે જ થઇ જાય સારા થઇ જાય છે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah

Subscribe to Newsletter