જીઆર્ડિયા એ પાચક તંત્ર નું ચેપ છે. ચેપથી ઝાડા, ઉબકા, અને પેટમાં દુખાવો થઈ શકે છે. તે ખૂબ સામાન્ય છે.
જીઆર્ડિયા ના ચેપ થી હંમેશાં લક્ષણો દેખાતા નથી હોતા. કેટલાક લોકો ને તેમની જાણ વગર જ તેમના માં જીઆર્ડિયા ના પરોપજીવી હોય જ છે.
જ્યારે લક્ષણો થાય છે, ત્યારે આ પ્રકારે હોઈ શકે છે:
નિમ્નલિખિત અનુભવો થતા હોય તો તમારા ડૉક્ટર ને તરત જ મળો:
નાના બળકો અને લક્ષણોવાળા વૃદ્ધ વયસ્કોએ તેમના ડૉક્ટર અવશ્ય મળવું જોઈએ. તે એટલા માટે કે, આ જૂથો અન્ય લોકો કરતા વધુ સરળતાથી ડિહાઇડ્રેટેડ (Dehydrate) થઈ શકે છે.
ગિઆર્ડિયા નો ચેપ 3 રીતે ફેલાય છે:
હા. જો તમારા ડૉક્ટર ને એવું લાગે છે કે તમને જીઆર્ડિઆ હોઈ શકે છે, તો તે અથવા તેણી તમારા મળના નમૂના માંગશે. લેબમાં, જીઆર્ડિયા અને અન્ય ચેપ જેના જીઆર્ડિયા જેવા જ લક્ષણો હોય તે માટે નમૂનાની તપાસ કરી શકાય છે.
જીઆર્ડિયા ની સારવારમાં કેટલાક દિવસો માટે એન્ટિબાયોટિક દવા લેવી પડે છે. મોટાભાગનાં કિસ્સાઓમાં, તે જીઆર્ડિયા ના ચેપ અને તેના લક્ષણોથી છુટકારો મેળવી આપે છે. જોકે અમુક કિસ્સાઓમાં, એન્ટીબાયોટીક્સના પ્રથમ તબક્કાથી જીઆર્ડિયા સારું થતું નથી. જો આવું થાય છે, તો ડોકટરો સામાન્ય રીતે એન્ટિબાયોટિકના પ્રકાર અથવા માત્રામાં ફેરફાર કરવાનું સૂચવે છે અથવા કોઈ વ્યક્તિની સારવાર નો સમયગાળો વધારવાનું સૂચન કરે છે.
જો તમને જીઆર્ડિયા ના લક્ષણો નથી, અને તમારું પરીક્ષણ ચેપ બતાવતું હોય તો પણ તમને એન્ટિબાયોટિક્સની જરૂર ન પણ પડી શકે. જીઆર્ડિયા વાળા કેટલાક લોકો સારવાર વિના ચેપને હરાવી શકે છે. પરંતુ ડે-કેરમાં (Day Care) સચવાતા બાળકો , અને જે લોકો ભોજન સાથે કામ કરે છે, તેમની તેમને કોઈ પણ લક્ષણ ના હોવા છતાં તેમની પણ જીઆર્ડિયા ની સારવાર કરવી જોઈએ. આમ ચેપના ફેલાવાને રોકવામાં મદદ કરે છે.
હા, એ શક્ય છે! સૌથી મહત્વની વાત એ છે કે ચોખ્ખા રહેવું. આ આ પદ્ધતિઓ ને અનુસરો:
જો તમને લાગે કે તમને સાલ્મોનેલ્લા ચેપ લાગી શકે છે, તો તમારા ડૉક્ટર અથવા મિડવાઇફ ને વાત કરો. મોટાભાગની સગર્ભા સ્ત્રીઓને સારવારની જરૂર હોતી નથી. જો તમારી નિયત તારીખ નજીક હોય, અને તમે ખૂબ બીમાર પાડો તો તમારે સારવારની જરૂર પડી શકે છે.
WhatsApp us