ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય (ગ્લુટેન – Gluten) મુક્ત ખોરાક એવો આહાર છે જેમાં કોઈપણ ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય (ગ્લુટેન – Gluten) હોતું નથી. ગ્લુટેન એ પ્રોટીન છે જે ઘઉં, રાઇ, જવ, અને (કેટલીકવાર) ઓટમાં પણ જોવા મળે છે. બ્રેડ, પાસ્તા, પીત્ઝા, અનાજ, અને ક્રેકર્સ (Crackers) જેવા ઘણા ખોરાકમાં ગ્લુટેન હોય છે. જે લોકો ગ્લુટેન મુક્ત ખોરાક પર હોય છે, તેમને ગ્લુટેન વાળું કોઈપણ ખોરાક ન ખાવું જોઈએ.
સેલિઆક રોગ (Celiac Disease) નામની સ્થિતિ ધરાવતા લોકો ગ્લુટેન-મુક્ત આહાર પર હોવા જોઈએ. સેલિયાક રોગ એ એવી સ્થિતિ છે જે શરીરને અમુક ખોરાક તોડવાની એટલે કે પચવાની ક્ષમતાને અસર કરે છે. સેલિયાક રોગવાળા લોકો બીમાર થાય છે જો તેઓ ગ્લુટેન વાળો ખોરાક ખાય છે. તેઓને તેમના સમગ્ર જીવન માટે કડક ગ્લુટેન-મુક્ત આહાર પર રહેવાની જરૂર છે. જો તમને લાગે છે કે તમને સેલિઆક રોગ છે, તો તમે રોગનું પરીક્ષણ ન કરો ત્યાં સુધી ગ્લુટેન-મુક્ત ખોરાક શરૂ કરશો નહીં. તે એટલા માટે કે તમે જે ખાશો તે તમારા પરીક્ષણ પરિણામો પર અસર કરી શકે છે.
તેમ છતાં, સેલિયાક રોગ વગરના, વધુ અને વધુ લોકો ગ્લુટેન-મુક્ત આહાર લઈ રહ્યા છે. તેઓએ સાંભળ્યું હશે કે આ આહાર થી વધુ સારું લાગે છે, અથવા તેમને વજન ઘટાડવામાં મદદરૂપ છે. તે સાચું છે કે ગ્લુટેન-મુક્ત ખોરાક આરોગ્યપ્રદ હોઈ શકે છે. પરંતુ, તે કેટલીકવાર લોકોને જરૂરી બધા પોષણ મેળવવામાં થી પણ રોકે છે. જો તમે ગ્લુટેન-મુક્ત આહાર ચાલુ કરવા વિશે વિચારી રહ્યાં છો અથવા ઈચ્છો છો, તો તમારા ડૉક્ટર ને પૂછો કે તે તમારા માટે યોગ્ય છે કે નહીં.
પ્રારંભ કરવા માટે, તમે એક ડાયેટિશિયન (ફૂડ એક્સપર્ટ) અથવા અન્ય પ્રોફેશનલ જેને ગ્લુટેન-મુક્ત આહારનો અનુભવ છે ને મળવું પડશે. તે અથવા તેણી:
ગ્લુટેન-મુક્ત આહારનું સંચાલન કેવી રીતે કરવું તે શીખવું મુશ્કેલ છે, ખાસ કરીને શરૂઆત માં. પરંતુ તે સામાન્ય રીતે, અભ્યાસ/ આદત/ટેવ થી અને સમય જતાં સરળ બને છે.
તમારે ઘઉં, રાઈ, અને જવ માંથી અથવા તેનાથી બનેલા તમામ ખોરાકને ટાળવાની જરૂર છે. તમારા ડૉક્ટર અથવા ડાયેટિશિયનને પૂછો કે — શું તમે ઓટ્સ (Oats) ખાઈ શકો છો.
ઘણા પ્રકારના ખોરાકમાં ગ્લુટેન નો સમાવેશ છે, અથવા તેમાં શામેલ હોઈ શકે છે, જેમ કે:
તમે કયા ખોરાક ખાઈ શકો છો તે બરાબર જાણવા માટે, તમારે ઘટક પર ના લેબલ્સ વાંચવા જ પડશે. ” ગ્લુટેન-મુક્ત” ના લેબલવાળા ખોરાક કે “ગ્લુટેન-મુક્ત સુવિધા” માં બનાવવામાં આવે છે, અથવા પ્રક્રિયા કરવામાં આવે છે તે ખાવા યોગ્ય છે. જે ખોરાકમાં ઘઉં હોય છે તે ખાવા યોગ્ય નથી. જો તમને ખાતરી નથી કે એ ખોરાક ગ્લુટેન-મુક્ત છે કે નહીં, તો કંપનીને કોલ કરો. તેમનો ફોન નંબર પેકેજ પર હોવો જોઈએ.
કેટલીક દવાઓ (બંને પ્રિસ્ક્રિપ્શન અને ઓવર-ધ-કાઉન્ટર) અને વિટામિન પૂરવણીમાં ગ્લુટેનનો નાનો અંશ હોય છે. જો તમને સેલિયાક રોગ હોય તો પણ તમે મોટાભાગની દવા ની પ્રકારની ગોળીઓ લઈ શકો છો. જો તમને ખાતરી ન હોય તો તમારા ડૉક્ટર પાસે તપાસ કરવો.
કદાચ તમારે લેવી પડે. સામાન્ય રીતે, તમારી પાચક શક્તિને ખોરાકમાં રહેલા પોષક તત્ત્વોને શોષી લેવાનું રોકી શકે છે, સેલિયાક રોગ. તમને જરૂરી બધા પોષક તત્વો મેળવવા માટે, તમારા ડૉક્ટર ભલામણ કરી શકે છે કે તમે દરરોજ વિટામિન લો.
હા. ઘણી રેસ્ટોરાંમાં હવે ગ્લુટેન-મુક્ત મેનૂઝ અથવા ખોરાક મળે છે. પરંતુ, હંમેશાં રેસ્ટોરન્ટને જણાવો કે તમારા ભોજન માં ગ્લુટેન ન હોઈ શકે. આ રીતે, જ્યારે તેઓ તમારા ખોરાકને રાંધશે ત્યારે તેઓ વધારે કાળજી લેશે.
જો તમારું બાળક ગ્લુટેન-મુક્ત ખોરાક પર છે, તો તેના અથવા તેણીના સંભાળ રાખનારા, શિક્ષકો અને શાળાને અવશ્ય જણાવો. તેમને કહો કે, તમારું બાળક કયા ખોરાક ખાય છે અને કયા ન ખાઈ શકે. જો તમારું બાળક શાળામાં જાય છે, તો તમે શિક્ષક પાસે ગ્લુટેન-મુક્ત ટ્રીટ મૂકી ને જઈ શકો છો. આ રીતે, જ્યારે વર્ગમાં પાર્ટી હોય ત્યારે તમારા બાળક માટે યોગ્ય ગળી વસ્તુ અથવા સલામત ખોરાક ખાવા માટે હશે.
WhatsApp us