ડૉક્ટર દ્વારા બનાવેલા પેટમાં એક છિદ્ર, જેમાં આંતરડામાંથી નકામા ઉત્પાદનોને શરીર માંથી કાઢવાના હોય છે, એને ઇલોઓસ્ટોમી (Ileostomy) કહેવાય છે.
ઇલોઓસ્ટોમીને કેટલીકવાર “સ્ટોમા” (Stoma) પણ કહેવામાં આવે છે, જેનો અર્થ “છિદ્ર” થાય છે. તમને ઇલોઓસ્ટોમી કરાવ્યા પછી, તમારા આંતરડામાંથી નકામા ઉત્પાદનો આ સ્ટોમા દ્વારા તમારી ત્વચા સાથે જોડેલી બેગમાં બહાર નીકળશે.
ઇલોઓસ્ટોમી માં, આંતરડામાંથી નીકળેલા નકામા પદાર્થો જે બેગમાં પસાર થાય છે તે સામાન્ય મળ કરતાં વધુ વાર થઇ શકે છે તથા ઢીલા પણ હોઈ શકે છે.
એક વિશેષ ડૉક્ટર (જેને ઓસ્ટોમી ડૉક્ટર કહેવામાં આવે છે), તમને તમારા ઇલોઓસ્ટોમીની સંભાળ કેવી રીતે રાખવી તે શીખવશે. તે અથવા તેણી તમને શીખવશે:
વિવિધ પ્રકારની ઇલોઓસ્ટોમી બેગ લોકો ને વાપરવા મળતી હોય છે. અમુક પ્રકારની બેગમાં, તમે ખાલી અને સાફ કરીને, અને ફરીથી વાપરી શકો છો. અન્ય પ્રકારો માં, તમે દરેક ઉપયોગ પછી તેને દેવી પડે છે.
કદાચ તમને ચિંતા થતી હોય કે શું તમારી બેગ લિક થઈ જશે, અથવા અન્ય લોકો તમારી મળ ની ગંધને દુર્ગંધ આવશે તો. પરંતુ, આવી ઘટના ભાગ્યે જ બને છે. બેગ એવી રીતે બનાવવામાં આવે છે જેથી, તે લીક ન થાય અથવા ગંધ ન આવે.
અમુક લોકો વિશેષ પ્રકારની ઇલોઓસ્ટોમી કરાવતા હોય છે. તેઓ મળ એકત્રિત કરવા માટે થેલીનો ઉપયોગ નથી કરતા. તેના બદલે, તેઓ આંતરડામાંથી બનાવેલ આંતરિક પાઉચ બનાવડાવે છે, જે તેઓ દિવસમાં થોડી- થોડી વારે સ્ટોમા દ્વારા ખાલી કરે છે.
ઇલોઓસ્ટોમી સાથે વિવિધ સમસ્યાઓ થઈ શકે છે, કાં તો ટૂંક સમય માં તરત જ અથવા તો ઘણા વર્ષો પછી પણ. તમારા ડૉક્ટરને જણાવો કે જો તમને નીચેના લક્ષણો અથવા સમસ્યાઓ થાય છે:
જ્યારે લોકો ઇલોઓસ્ટોમી કરાવતા હોય છે ત્યારે, દર વખતે તેમનું શરીર દવાઓ સામાન્ય રીતે શોષી લેતું નથી હોતું. આને કારણે, ગોળીઓને બદલે પ્રવાહી દવાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. “એંટેરિક કોટેડ,”(Enteric Coated) , “સમય સ્થગિત મુક્તિ,” અથવા “વિસ્તૃત મુક્તિ” ના લેબલવાળી ગોળીઓ ક્યારેય ન લો. તમારું શરીર આ પ્રકારની ગોળીઓ સારી રીતે શોષી શકશે નહીં.
હા. જ્યારે લોકો ઇલોઓસ્ટોમી કરાવે છે, ત્યારે તેમનું શરીર હંમેશાં પાણી, વિટામિન, અને મીઠાને સામાન્ય રીતે શોષી લેતું નથી. આને કારણે, ડિહાઇડ્રેટેડ થવાનું ટાળવા માટે તમારે પુષ્કળ પ્રવાહી પીવું જોઈએ.
તમારે એવા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ જે તમારા આંતરડા અથવા સ્ટોમાને સરળતાથી અવરોધિત કરી શકે. આમાંથી કેટલાક ખોરાકમાં પોપકોર્ન, મશરૂમ્સ, સૂકા ફળ તથા છાલ વાળા ફળો અથવા શાકભાજી છે.
તમે જે ખાશો તે ખોરાક તમારી મળની ગંધને તથા તે કેટલા નક્કર અથવા છૂટક છે, તેને અસર કરે છે,. અમુક ખોરાક તમને વધારે ગેસ પણ બનાવી શકે છે.
તમે ઇલોઓસ્ટોમી કરાવ્યા પછી સક્રિય અને સામાન્ય જીવન જીવવા જીવી શકો છો. પરંતુ, ઘણા લોકો નીચેની બાબતો વિશે વધુ ચિંતા કરતા હોય છે:
જ્યારે તમને ઇલોઓસ્ટોમી કરાવી હોય ત્યારે ઉદાસી, અસ્વસ્થતા, અથવા ચિંતા કરવી સામાન્ય બાબત છે. જો તમને આ લાગણીઓ છે, તો સહાય મેળવવાનો પ્રયાસ કરો. તમે કુટુંબના સભ્ય, મિત્ર, અથવા સલાહકાર સાથે વાત કરી શકો છો. તમને ઇલોઓસ્ટોમીવાળા લોકો માટે સપોર્ટ જૂથમાં જવું પણ મદદરૂપ થઈ શકે છે.
WhatsApp us