જ્યારે હોજરીનો ઉપરના હિસ્સાનો કોઇ ભાગ છાતીમાં જતો રહે છે તેને ડૉક્ટર્સ હાયેટલ સારણગાંઠ એટલે કે હાયેટલ હર્નિઆ કહે છે. સામાન્ય રીતે હોજરી ઉદર પટલની નીચે જ રહે છે. ઉદર પટલ છાતીના અવયવો અને પેટના અવયવોને અલગ પાડતો સ્નાયુ છે. અન્નનળી, જેના દ્વારા ખોરાક-પ્રવાહી હોજરીમાં જાય છે, તે ઉદર પટલના સ્નાયુની વચ્ચે આવેલ છેદમાંથી પસાર થઈ હોજરીમાં સાથે જોડાય છે. જે વ્યક્તિને હાયેટલ હર્નિઆ થયેલ હોય તેના કેસમાં હોજરી આ છેદમાંથી ઊપર આવી જાય છે. હાયેટલ હર્નિઆ બે પ્રકારનાહોય છે
હાયેટલ હર્નિઆ ના લક્ષણો સામાન્યરીતે જોવા મળતા નથી. કેટલીક વાર આ પ્રકારના હર્નિઆ ના કેસમાં હોજરીમાં રહેલ એસિડ અન્નનળીમાં આવી જાય છે જેને એસિડ રિફ્લ્ક્ષ અથવા તો ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લ્ક્ષ કહેવામાં આવે છે. આવું બને ત્યારે નીચે મુજબના લક્ષણો જોવા મળે છે
પરંતુ સામાન્ય રીતે ડૉક્ટર હાયેટલ હર્નિઆ માટે જ ટેસ્ટ કરાવતા નથી. જ્યારે ઊપર જણાવેલ કોઇ લક્ષણોને કારણે ટેસ્ટ કરાવવામાં આવે છે ત્યારે અથવાતો બીજા કોઇ કારણસર ટેસ્ટ કરાવવામાં આવે ત્યારે આ રોગની ખબર પડે છે; દા.ત. જ્યારે એક્સ-રે પાડવામાં આવે ત્યારે આ રોગની ખબર પડે છે. કેટલીક વાર જ્યારે એન્ડોસ્કોપી કરવામાં આવે છે ત્યારે હાયેટલ હર્નિઆની જાણ થાય છે.
(પાચનતંત્રના ઊપરનાભાગ ની એન્ડોસ્કોપી કરવા માટે ડૉક્ટર આપને ચત્તા સૂવડાવશે. ગળા વાટે એક પાતળી નળી જેની આગળના ભાગમાં કેમેરા અને લાઈટ હોય છે (આ સાધનને એન્ડોસ્કોપ કહે છે) તેને અન્નનળીમાંથી પસાર કરી હોજરી અને નાના આંતરડાંના શરૂઆતના ભાગ સુધી લઈ જાય છે. નાના આંતરડાંના શરૂઆતના ભાગને અંગ્રેજીમાં ડ્યુઓડિનમ કહે છે. કેમેરા આ બધા ભાગના ફોટા પાડી લઈ તેને ડોક્ટરના ટીવીના પડદા પર દેખાડે છે. આમ ડૉક્ટર આપની અન્નનળી, હોજરી અને નાના આંતરડાંના શરૂઆતના ભાગને જોઇ તપાસી શકે છે.)
હાયેટલ હર્નિઆના કારણે પેદા થયેલા લક્ષણોને મટાડવા માટે ડૉક્ટર દવા આપે છે.
ડૉક્ટર દર્દી ને એસિડ રિફ્લ્ક્ષ માટે જે દવાઓ હોય છે તે જ દવાઓ આપે છે. જે દર્દીઓને પેરા-ઇસોફેગલ હર્નિઆ હોય અથવા તો સ્લાઇડીંગ હર્નિઆ હોય તેમને ઑપરેશન કરાવવું પડે છે. આ શસ્ત્રક્રિયા દરમ્યાન ડૉક્ટર હોજરીના ઊપર જતા રહેલા ભાગને નીચે તરફ ખેંચી લે છે અને ઉદર પટલમાં રહેલ છેદને ઠીક કરે છે જેથી હોજરીનો ભાગ ફરીથી ઊપર જતો ના રહે.
WhatsApp us