...

યકૃતનું (લીવર) કેન્સર

  • યકૃતના સામાન્ય કોષો જ્યારે અસામાન્ય કોષોમાં બદલાઇ જાય છે, અને નિયંત્રણમાંથી બહાર બનવાનું ચાલુ થાય છે, ત્યારે એને યકૃતનું કેન્સર થયું હોય એમ કહેવાય છે. યકૃત એ પેટ ની ઉપરની જમણી બાજુએ એક મોટું અંગ હોય છે.

    લીવર કેન્સર થનારા મોટાભાગના લોકોમાં લાંબા ગાળાની યકૃત નો કોઈ રોગ હોય છે (જેને ક્રોનિક યકૃત રોગ પણ કહેવામાં આવે છે). લાંબા ગાળાના લીવર રોગને લીધે, વ્યક્તિને લીવર કેન્સર થવાની સંભાવના વધી જાય છે. યકૃત રોગના લાંબા ગાળાના સૌથી સામાન્ય અને સૌથી ગંભીર સ્વરૂપ “સિરહોસિસ” (Cirrhosis) નામની એક સ્થિતિ છે, જે યકૃતને સ્કાર (Scar) કરે છે.

સામાન્ય રીતે લીવર કેન્સર ના પોતાના કોઈ લક્ષણો હોતા નથી. કેટલાક દર્દીઓ ઉપલા પેટમાં એક ગઠ્ઠો અથવા હળવી પીડા અનુભવી શકે છે, અથવા એમનું વજન ઓછું થતું હોય છે, અથવા જ્યારે તેઓ ખાવાનો પ્રયત્ન કરે છે ત્યારે વહેલી તકે સંપૂર્ણ લાગતું હોય છે.

અન્યમાં, એવા લક્ષણો હોઈ શકે છે જે કેન્સર થતા પહેલા લીવર રોગને લીધે થતાં હોય છે. તે લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે, અથવા કેન્સરને કારણે પાછા આવી શકે છે. તેમાં નિમ્નલિખિત છે:

  • પેટ અથવા પગનો સોજો
  • ત્વચા અથવા આંખોનો સફેદ ભાગ પીળો થતો હોય છે

જો તમને આ લક્ષણો છે, તો તમારા ડૉક્ટર ને કહો.

હા. જો તમારા ડૉક્ટરને શંકા છે કે તમને લીવર કેન્સર છે, તો તે નીચેનામાંથી 1 અથવા વધુ પરીક્ષણો કરાવવા કહેશે:

  • રક્ત પરીક્ષણો
  • એમઆરઆઈ સ્કેન (MRI Scan), સીટી સ્કેન (CT Scan), અલ્ટ્રાસાઉન્ડ (Ultrasound) અથવા અન્ય ઇમેજિંગ પરીક્ષણ – ઇમેજિંગ પરીક્ષણો શરીરની અંદરના ચિત્રો બતાવે છે, અને તે કોઈ અસામાન્ય વૃદ્ધિ પણ દર્શાવે છે.
  • બાયોપ્સી (Biopsy) – આ પરીક્ષણ માટે, એક ડૉક્ટર યકૃતમાંથી પેશીના નાના નમૂનાને લેશે. બીજા એક ડૉક્ટર માઇક્રોસ્કોપ હેઠળ આ નમૂનાને જોશે કે શું એમાં કેન્સર છે.

કેન્સર સ્ટેજીંગ એ એક એવી રીત છે જેમાં ડોકટરો શોધી કાઢે છે કે — “શું કેન્સર જ્યાંથી શરૂ થયું છે ત્યાંની પેશીના સ્તરની આસપાસ ફેલાઈ ગયું છે?”, અને જો આમ છે “તો તે કેટલે દૂર સુધી ફેલાઈ ગયું છે?”.

યકૃત કેન્સરની સારવાર વિવિધ રીતે કરી શકાય છે. સારવાર તમારા કેન્સરના સ્ટેજ પર આધારીત છે. તે તમારું યકૃત કેટલું સ્વસ્થ છે તેના પર પણ નિર્ભર છે (બીજા શબ્દોમાં કહીએ તો, કેન્સર થયા પહેલા તમારું યકૃત રોગ કેટલો ગંભીર હતો). વિવિધ સારવારમાં શામેલ છે:

  • સર્જરી – લીવર કેન્સરની સારવાર કેટલીક વાર કેન્સરવાળા લીવરના ભાગને કાઢવા માટે સર્જરી કરવામાં આવે છે.
  • લીવર ટ્રાન્સપ્લાન્ટ (Liver Transplant) – લીવર ટ્રાન્સપ્લાન્ટ, એ એક પ્રકારની શસ્ત્રક્રિયા છે જેમાં ડૉક્ટર બીજા વ્યક્તિથી મેળવેલું તંદુરસ્ત યકૃતને બીમારીગ્રસ્ત યકૃત ની જગ્યાએ પ્રત્યારોપણ કરે છે.
  • એબ્લેશન થેરેપી (Ablation Therapy) – એબ્લેશન થેરેપી એ એક પ્રક્રિયા છે જેના થી યકૃતમાં કેન્સરના કોષોને મારી શકે છે. તેમાં શસ્ત્રક્રિયા કરવાની હોતી નથી. ડોકટરો જુદી-જુદી રીતે એબિલેશન થેરેપી કરી શકે છે. તેઓ ગરમી, લેસર, રેડિયેશન થેરેપીનો ઉપયોગ કરીને અથવા કેન્સરગ્રસ્ત કોષોમાં એક વિશેષ આલ્કોહોલના ઇન્જેક્શન આપી ને એ કેન્સરના કોષોને મારી શકે છે.
  • કેન્સરના રક્ત પુરવઠાને અવરોધિત કરવું – કેન્સરમાં લોહી મોકલે છે તે રક્ત વાહિનીને અવરોધિત કરવા માટે, ડોકટર “એમ્બોલાઇઝેશન” (Immobilisation) નામની પ્રક્રિયા કરી શકે છે. આ કેન્સરને તેના લોહીના સપ્લાયના “ભૂખમરો” દ્વારા વધતા અટકાવે છે. કેટલીકવાર, એમ્બ્લોલાઇઝેશન પ્રક્રિયા કીમોથેરાપી (“કીમોમ્બોલીઝેશન / chemoembolization”) અથવા રેડિયેશન (“રેડિયો એમ્બિલોઇઝેશન” / “radioembolization”) ની સાથે જ કરવામાં આવે છે.
  • કીમોથેરપી (Chemotherapy) – કેન્સરના કોષોને નષ્ટ કરનાર અથવા વધતી અટકાવવા માટેની દવાઓ ની પ્રક્રિયા ને કેમોથેરાપી કહેવાય છે.
  • ઇમ્યુનોથેરાપી (Immunotherapy) – કેન્સરની વૃદ્ધિને રોકવા માટે શરીરની ચેપ ને લડવાની સિસ્ટમ (“રોગપ્રતિકારક શક્તિ”) સાથે કામ કરતી દવાઓ માટે ની પ્રક્રિયા ને ડોકટરો — ઇમ્યુનોથેરાપી (Immunotherapy) કહે છે.

સારવાર પછી, કેન્સર પાછો આવે છે કે નહીં, તે જોવા માટે તમારી ઘણી વાર તપાસ કરવામાં આવશે. નિયમિત ફોલોઅપ પરીક્ષણોમાં સામાન્ય રીતે ટેસ્ટ્સ, રક્ત પરીક્ષણો અને ઇમેજિંગ પરીક્ષણો કરાવવાનું હોય છે.

તમારે ઉપર સૂચિબદ્ધ લક્ષણો માટે પણ ધ્યાન રાખી ને જોવું જોઈએ. આ લક્ષણો હોવાનો અર્થ એટલે કે કેન્સર પાછો આવી ગયો છે. જો તમને કોઈ લક્ષણો દેખાતા અથવા અનુભવ હોય તો તમારા ડોકટરને કહો.

જો તમે યકૃતનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, તો તમારે આખી જિંદગી માટે “એન્ટી રિજેક્શન દવાઓ” નામની દવાઓ લેવાની જરૂર રહેશે. આ દવાઓ તમારા શરીરને તમારા નવા યકૃત પર ખરાબ પ્રતિક્રિયા કરતા અટકાવવામાં મદદ કરે છે.

જો કેન્સર પાછો આવે અથવા વધુ ફેલાય, તો તમારા ડૉક્ટર તમારી સાથે સારવારની સંભવિત વિકલ્પો વિશે વાત કરશે. આમાં ઉપરોક્ત સૂચિનો સમાવેશ થઈ શકે છે.

મુલાકાત અને પરીક્ષણો વિશે તમારા ડૉક્ટરની બધી સૂચનાઓનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. સારવાર દરમિયાન તમને થતી કોઈપણ આડઅસર અથવા સમસ્યાઓ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરવી પણ મહત્વપૂર્ણ છે. જે લોકોને યકૃતનું કેન્સર હોય છે, ખાસ કરીને જો તેઓને લાંબા ગાળાના યકૃતનો રોગ હોય, તો તેમણે દારૂ અને કોઈ પણ દવાઓ કે જે યકૃત માટે નુકસાનકારક હોઈ શકે છે તે ટાળવી કે બંધ કરી દેવી જોઈએ.

યકૃતના કેન્સરની સારવાર કરાવવા માટે ઘણા વિલ્કપો છે, જેમ કે “કઈ સારવાર કરાવવી?”.

તમારા ડૉક્ટરને હંમેશા જણાવો કે તમને કોઈ પણ સારવાર વિશે કેવું મંતવ્ય છે. કોઈપણ સમયે જ્યારે તમને સારવાર આપવામાં આવે છે, ત્યારે પૂછો:

  • આ સારવારના ફાયદા શું છે? શું તે મને લાંબા સમય સુધી જીવવામાં મદદ કરે છે? તે લક્ષણો ઘટાડશે અથવા અટકાવશે?
  • આ ટ્રીટમેન્ટમાં ડાઉનસાઇડ (આડઅસર અથવા નુકસાન) શું છે?
  • શું આ સારવાર ઉપરાંત અન્ય વિકલ્પો પણ છે?
  • જો હૂં આ સારવાર ન કરવું તો શું થઇ શકે છે?
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah