...

કોલોનોસ્કોપી

  • કોલોનોસ્કોપીના પરીક્ષણમાં ડૉક્ટર, એક વ્યક્તિના મોટા આંતરડાના આંતરિક અસ્તરને(એક પાતળી પરત) જુએ છે. મોટાઆંતરડાને કોલોન (Colon) પણ કહેવામાં આવે છે.

    મોટાભાગે, લોકોપોલિપ્સ(Polyps) અથવા કોલોન અથવા ગુદામાર્ગમાં કેન્સર ની માટે તપાસ કરવા માટે,સ્ક્રીનીંગટેસ્ટ(Screening Test) તરીકે કોલોનોસ્કોપીજ કરાવે છે. પોલિપ્સ એ કોલોનમાં વૃદ્ધિકે એવી ઉપજો છે જે કેન્સરમાં બદલાઈ જઈશકે છે. જો તમને પોલિપ્સથયેલા હોય, તો સામાન્ય રીતે કોલોનોસ્કોપી કરતી વખતે,ડૉક્ટર તેને કાઢીઅ થવાની કળી શકે છે. પોલિપ્સ બહાર કાઢવાથી તમારા કેન્સર થવાની સંભાવના ઓછી થઇ જાય છે. જો લોકોને નીચે સૂચિબદ્ધ કોઈ લક્ષણો હોય તો તેઓ પણ કોલોનોસ્કોપી કરાવી શકે છે. કોઈ વ્યક્તિમાં કેન્સરના લક્ષણો દેખાય તે પહેલાં, કેન્સરને શરૂઆતમાં જ પ્રયાસ કરી ને શોધી કાઢવામાટેના પરીક્ષણોનેકેન્સર સ્ક્રિનિંગટેસ્ટ કહેવાય છે. ઘણી વાર શરૂઆતમાં જ જો કેન્સર મળી જાય, જ્યારે એ નાનો હોય, ત્યારે તેનો ઇલાજ અથવા સારવાર સરળતાથી કરી શકાય છે.કોલોન કેન્સરની તપાસ માટે ડોકટરો 5 અથવા 6 વિવિધ પ્રકારના પરીક્ષણોનો કરાવી શકે છે. પણ, મોટાભાગના ડોકટરો માને છે કે કોલોન કેન્સરની તપાસ માટે કોલોનોસ્કોપી, એજ શ્રેષ્ઠ પરીક્ષણ છે.

ડૉક્ટરો ના કેહવા પ્રમાણે, મોટાભાગનાલોકો 50 વર્ષની ઉંમરે કોલોન કેન્સરની તપાસ શરૂ કરે છે.અમુક લોકોના પરિવારજનોને કોલોન કેન્સર થયા હોવાનો ઇતિહાસ હોય છે, અથવા અમુક એવી તબીબી પરિસ્થિતિઓ ને હોય છે જેને કારણે તેમને કોલોન કેન્સર થવાની સંભાવના વધારે હોય છે. આ પ્રકાર ના લોકો નાની ઉંમરે સ્ક્રીનીંગ  શરૂ કરવી જોઈએ.

જો તમને નિમ્નલિખિત માંથી કોઈ પણ લક્ષણ દેખાય અથવા અનુભવ થતા હોય તો તમારા ડૉક્ટર કોલોનોસ્કોપીકરાવવા કહી શકે છે:

  • તમારા મળ માં લોહી નીકળવું
  • તમારા મળ કાઢવાની દૈનિક ટેવમાં કોઈ ફેરફાર આવવો
  • એનિમિયા(Anaemia) નામની એક સ્થિતિ જેમાં તમને થાક અને નબળાઇ અનુભવી શકે છે
  • વગર કારણે લાંબા ગાળાથી પેટ અથવા ગુદામાર્ગમાં દુખાવો રેહવો
  • વિવિધ પ્રકારનાં કોલોન પરીક્ષણમાં અસામાન્ય પરિણામો આવવા
  • તમારા કોલોનમાં કોલોન કેન્સર અથવા પોલિપ્સ થયાનો ઇતિહાસ

કોલોનોસ્કોપી પહેલાં તમારે શું કરવું તે વિશે તમારા ડૉક્ટર તમને સૂચના જણાવશે. તે અથવા તેણી, તમને જણાવશેકે તમે કયા ખોરાક ખાઈ શકો છો અને શું નહીં ખાયશકો. જો તમારી નિયમિત લેવા ની દવાઓ માં થી કોઈ દવા કામ ચલાઉ રૂપે લેવાની તમારે બંધ કરવાની જરૂર હશે તો, તે અથવા તેણી તમને અગાઉ થી જણાવી દેશે. આ બધી જ સૂચનાઓ મળે કે તરત જ વાંચવાની ખાતરી કરશો. એવું પણ બની શકે કે,તમારે પરીક્ષણ ના પહેલાં એક અઠવાડિયા સુધી કેટલીક દવાઓ બંધ કરવી પડી શકે છે.

કોલોનસ્કોપીચાલુ કરવા પહેલાં,કોલોનને સાફ કરવાની જરૂર હોય છે. તમારા ડૉક્ટર, તમને એક વિશેષ પીણું આપશે જે પાણીદાર ઝાડા કરાવશે. તમારા કોલોન સંપૂર્ણ રીતે સાફ થઇ જાય,એ માટે તે બધું પીવું અત્યંત જ મહત્વપૂર્ણ છે. જો તમારો કોલોન સાફ હોય તો, તમારા ડૉક્ટરને કોલોનની અંદરની અસ્તર ને વધુ સારી રીતે જોવા મળશે. સ્વચ્છ કોલોન, પરીક્ષણ કરવાનું વધુ સરળ અને વધુ આરામદાયક પણ બનાવે છે. જો તમને તમારી કોલોનોસ્કોપી માટે તૈયાર થવામાં મુશ્કેલી આવી રહી હોય તો તમારા ડૉક્ટરને જણાવો.

તમારા ડૉક્ટર, તમને હળવાશ અનુભવવા માટે તમને એક ખાસ દવા આપશે. પછી તે કેમેરાલગાવેલીએક ખાસ પાતળી નળી તમારા ગુદાનાછેડેથી,ગુદામાર્ગ અને કોલોન માં પ્રવેશ કરશે. તે પછી, તમારા ડૉક્ટર આખા કોલોનની અંદરની અસ્તર જોઈ શકશે.આ પ્રક્રિયા દરમિયાન, તમારા ડૉક્ટરબાયપ્સી(Biopsy) નામની એક પરીક્ષણ પણ કરી શકે છે.

બાયોપ્સીકરતી વખતે, ડૉક્ટર કોલોન માંથીઅસ્તર/પેશીનો(એટલે કે ટીશ્યુ – Tissue)એક નાનો ટુકડો લે છે. તે પછી, એ માઇક્રોસ્કોપ હેઠળ પેશીઓને જોશે એ જાણવા કે તેમાં કોઈ પણ પ્રકાર નું કેન્સર છે કે નહીં. જો તમારા ડૉક્ટર ને કોલોનમાં કોઈ વૃદ્ધિપણ એટલે કે ઉપજ દેખાશે તો તેને કાઢીને દૂર કરી શકે છે. તમારા ડૉક્ટર જયારે બાયોપ્સી કરતા હશે અથવા આ વૃદ્ધિને કાઢી નાખશે, ત્યારે તમને ખબર પણ નહીં પડે.

કોલોનોસ્કોપી કરાવ્યા પછી, તમારે શું કરવું તે વિશે તમારા ડૉક્ટરતમને સૂચના આપશે. મોટાભાગના લોકો હંમેશની જેમ ખાઈ-પી શકે છે. પણ મોટાભાગના ડોકટરો ની સલાહ હોય છે કે, લોકો દિવસભર ગાડી ચલાવે નહીં અથવા તો કામ પર ન જાય. જે દવાઓ તમે પરીક્ષણ પહેલા લેવાની બંધ કરી હતી, એ ફરી થી ક્યારે ચાલુ કરવાનીછે, એ તમારા ડૉક્ટર તમને જણાવશે.

જો તમારી કોલોનોસ્કોપી પછી, તમને નિમ્નલિખિત સમસ્યાઓ માં થી કોઈ પણ થતી હોય તો તરત જ તમારા ડૉક્ટરનેકોલ કરવો અથવા મળવા જવું:

  • પેટનો દુખાવો જે ગેસનો દુખાવો અથવા ખેંચાણ કરતા વધુ ખરાબ લાગતો હોય છે
  • એક ફૂલેલું અને કડક લાગતું પેટ
  • ઉલટીથતી હોય
  • તાવઆવતો હોય
  • તમારા ગુદામાંથી લોહી નીકળવું
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah

Subscribe to Newsletter