જ્યારે ઉપરોક્ત કોઇ પણ અંગમાંથી લોહી નીકળવા લાગે તેને પાચનતંત્રમાં રક્તસ્રાવ (અંગ્રેજીમાં જીઆઈ બ્લીડ) કહે છે ઘણી વાર આની જાણ જલ્દી થતી નથી કારણ કે રક્તસ્રાવ શરીરના અંદરના ભાગમાં થતો હોય છે. પરંતુ ક્યારેકકેટલાક લક્ષણો એવા અનુભવાય છે. પરંતુ ક્યારેક કેટલાક લક્ષણો એવા અનુભવાય છે કે અંદરના અવયવમાંથી લોહી નીકળે છે તેની ખબર પડી જાય છે.
આંતરિક રક્તસ્રાવના બે પ્રકાર હોય છે. પહેલા પ્રકારના રક્તસ્રાવને ઊપરના હિસ્સાનો રક્તસ્રાવ કહે છે જેમાં અન્નનળી, હોજરી અથવા નાના આંતરડાના શરૂઆતના ભાગમાં રક્તસ્રાવ થતો હોય છે. નીચેના હિસ્સાના રક્તસ્રાવમાં મોટા આંતરડા માંથી લોહી નીકળતું હોય છે. નાના આંતરડાના મધ્ય ભાગમાંથી પણ લોહી નીકળી શકે છે જેને મધ્ય માર્ગનો રક્તસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. જો કે આ પ્રકારનો રક્તસ્રાવ ભાગ્યે જ જોવા મળે છે.
પાચનતંત્રના ક્યા ભાગમાંથી (ઊપરના કે નીચેના ભાગ) લોહી નીકળે છે તે પ્રમાણે લક્ષણો પણ અલગ અલગ હોય છે. કેટલાક દદર્ીઓમાં કોઇ પણ લક્ષણો જણાતા નથી. જ્યારે ડૉક્ટર તેના મળાશયની તપાસ કરે કે લોહીની તપાસમાં જ્યારે ખબર પડે કે દદર્ીને એનેમિયા છે ત્યારે જ તેને પાચનતંત્રના અવયવમાંથી લોહી નીકળે છે તેની જાણ થાય છે. એનેમિયાના કેસમાં દર્દી ના લોહીમા રહેલા લાલ કણોની સંખ્યામાં બહુ ઘટી ગઈ હોય છે.
પાચનતંત્રના ઊપરના ભાગમાં રક્તસ્રાવ થતો હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.
પાચનતંત્રના નીચલા ભાગમાં રક્તસ્રાવ થતો હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.
પાચનતંત્રના કોઇપણ ભાગમાંથી લોહી નીકળતું હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.
જો નીચેનામાંથી કોઇ પણ લક્ષણ જણાય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઇએ.
સામાન્ય રીતે નીચેના કારણો રક્તસ્રાવ માટે જવાબદાર હોય છે.
જો આપના ડૉક્ટરને શંકા જાય કે આપના પાચનતંત્રના કોઇ અવયવમાંથી લોહી નીકળે છે તો નીચે જણાવેલ ટેસ્ટમાંથી એક અથવા વધારે ટેસ્ટ કરાવવાની સલાહ આપશેઃ-
(કોલોનોસ્કોપીના ટેસ્ટ દરમ્યાન ડૉક્ટર આપને પડખાભેર સૂવાનું કહે છે અને એક નળી જેના આગલા ભાગમાં એક કેમેરા હોય છે તે ગુદાદ્વાર વાટે મળાશયમાં દાખલ કરી મોટા આંતરડા સુધી લઈ જાય છે. નળીના આગલા ભાગમાં રહેલો કેમેરા અંદરના ફોટા પાડે છે જે ડૉકરના ટીવીના પડદા પર દેખાય છે. તેેને જોઇને આપના રોગના કારણની જાણકારી મળે છે અને નિદાન થઈ શકે છે.)
સારવારનો આધાર આપે કેટલું લોહી ગુમાવ્યું છે અને શા કારણે લોહી નીકળે છે તેની પર છે. નીચે જણાવ્યામાંથી કોઇ પણ એક કે વધારે પ્રકારની સારવાર આપવામાં આવે છે.
સારવારનો આધાર આપે કેટલું લોહી ગુમાવ્યું છે અને શા કારણે લોહી નીકળે છે તેની પર છે. નીચે જણાવ્યામાંથી કોઇ પણ એક કે વધારે પ્રકારની સારવાર આપવામાં આવે છે.
ડૉક્ટર એ પણ તપાસી લે છે કે આપને અલ્સર (ચાંદી) અથવા તો અન્ય કોઇ કારણસર લોહી પડે છે કે કેમ? આ પ્રમાણે કારણનું નિદાન થયા પછી તે પ્રમાણે સારવાર આપે છે.
લોહીના રક્તસ્રાવની શકયતાઓને જરૂર ઘટાડી શકાય છે.
જો તમને લિવરનો રોગ હોય (સિર્હોસિસ) તો ડૉક્ટર આપને બીટા બ્લોકર્સ પ્રકારની દવાઓ આપશે.
WhatsApp us