આંતરડાની મળ કાઢવાની પ્રક્રિયા માં જ્યારે મળવહેતું અથવા પાણીયુક્ત હોય છે, અને દિવસમાં 3 અથવા વધુ વખત થાય છે, ત્યારે આ પરિસ્થિતિ ને ઝાડા કહેવાય છે.
અતિસારના જુદા જુદા કારણો હોઈ શકે છે. એન્ટીબાયોટીક-સંબંધિત ડાયેરીયા ત્યારે થઈ શકે છે જ્યારે લોકો એન્ટિબાયોટિક દવાઓ લેતા હોય, અથવા હમણાં લેવાનું બંધ કર્યું હોય. મોટેભાગે, તે “સી. ડિફિસિલ” (C. difficile) (અથવા ટૂંકમાં “સી ડીફ” — C.Diff) બેક્ટેરિયાના ચેપને કારણે થાય છે. સી. ડિફિસિલ એ સામાન્ય રીતે આંતરડામાં રહે છે. જ્યારે લોકો એન્ટિબાયોટિક્સ પર હોય છે, ત્યારે તેમના આંતરડામાં સી. ડિફિસિલ નો વધારો થઇ શકે છે.
એન્ટીબાયોટીક્સ ન લે તો પણ લોકો ને એન્ટીબાયોટીક-સંબંધિત ડાયેરીયા થઇશકે છે. જો તેઓ ચેપગ્રસ્ત લોકો અથવા કોઈ ચેપી અથવા ચેપગ્રસ્ત સપાટીને સ્પર્શે, અને પછી તેમના હાથ ધોતા ન હોય તો તેઓ ને સી. ડિફિસિલ ઇન્ફેક્શન થઇ શકે છે.
સૌથી સામાન્ય લક્ષણો હોય છે:
અમુક લોકોમાંવધુગંભીરલક્ષણોપણહોઈશકેછે, જેમ કે:
કેટલીકવાર લોકોને સી. ડિફિસિલ નું ઇન્ફેક્શન હોય છે, પરંતુ તેમાં કોઈ લક્ષણો નથી. આ લોકો હજી પણ અન્ય લોકોમાં ચેપ ફેલાવી શકે છે.
હા. તમારા ડૉક્ટરતમારા મળના નમૂના પર પરીક્ષણો કરીને સી. ડિફિસિલ ચેપ છેકે નહીં, એના તપાસ માટે ખાસ પરીક્ષણ / તપાસએટલે કે ટેસ્ટ કરી શકે છે.
હા. તમારી જાતને વધુ સારી બનાવવામાં સહાય માટે, તમે આપ્રમાણે કરી શકો છો:
ઘણા પ્રવાહી પીવો જેમાં પાણી, મીઠું, અને ખાંડ અથવા સાકર હોય છે. સારી પસંદગીઓ માંરસ, સ્વાદવાળા સોડા, અને સૂપ —જેવા પીણા સાથે મિશ્રિત પાણી છે. જો તમે પૂરતા પ્રમાણમાં પીતા હોવ તો તમારો પેશાબ આછો પીળો અથવા લગભગ સ્પષ્ટ રંગ નો રહેશે.
થોડો ખોરાક ખાવાનો પ્રયત્ન કરો. સારી પસંદગીઓ માં — બટાટા, નૂડલ્સ, ચોખા, ઓટમીલ, ફટાકડા, કેળા, સૂપ અને બાફેલી શાકભાજી છે.
તમારા ડૉક્ટરને પૂછો કે ,તમારે “પ્રોબાયોટીક્સ” લેવું જોઈએ કે નહીં. પ્રોબાયોટીક્સ એ બેક્ટેરિયા છે જે આંતરડા માટે સારા હોય છે.
તમને આમાં થી કઇં ભી અનુભવ થાય તો તરત જ તમારા ડૉક્ટરને મળવા જવું જોઈએ:
એક દિવસમાં ઘણો વેહ્તો અથવા પાણીદાર મળ નીકળ્યા હોય
તમારા અતિસારમાં લોહી અથવા પરુનીકળ્યા હોય
તાવઆવવો
તીવ્ર પેટમાં દુખાવો અથવા પેટમાંસોજો આવવો
ઉબકાઆવવા
જો તમને ઉપર સૂચિબદ્ધ ડિહાઇડ્રેશનનાં કોઈ લક્ષણો હોય તો તમારે તમારા ડૉક્ટરને તરત જમળવા જવું જોઈએ.
જો તમે એવી કોઈ એન્ટિબાયોટિક લઈ રહ્યા છો જેને કારણે તમને અતિસાર થઈ અથવા વધી શકે છે, તો તમારાડૉક્ટર તેને બંધ કરશે. તે અથવા તેણી તમને અન્ય પ્રકારના એન્ટિબાયોટિક લખી આપી શકે છે.
તે દવાઓ સાથે તમારા સી. ડિફિસિલ ચેપનો પણ ઉપચાર કરશે. જો તમારા લક્ષણો વધુ ગંભીર છે, તો તમારે હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી શકે છે.
હા, ક્યારેકરોકી શકાય છે. “સી. ડિફિસિલ” ચેપ થી સંક્રમિત થવા થી અથવા વધુ ફેલાવવાથી ઘટાડવામાટે, તમે આ પ્રમાણે કરી શકો છો:
જો તમને સી. ડિસફિલિસ છે, તો તમારા ડોકટરો જ્યારે તમારા રૂમમાં હોય ત્યારે ખાસ હોસ્પિટલનો ઝભ્ભો અને ગ્લોવ્ઝ પહેરશે. આ અન્ય દર્દીઓમાં ચેપ પસાર થતો અટકાવવા માટે છે.
જો સારવાર પછી પણ તમનેઅતિસાર ચાલુ જ છે, તો તમારા ડોકટરને અવશ્ય જણાવો. તે અથવા તેણી ફરીથી સારવાર માટે દવાઓનો ઉપયોગ કરશે. પરંતુ તમારે વધુ સમય સુધી દવાઓ લેવાની જરૂર પડી શકે છે.
તમે “ફેકલ ટ્રાન્સપ્લાન્ટ” (Fecal Transplant) નામની કોઈ સારવાર વિશે પણ સાંભળ્યું હશે. આમાં એક બીજા કોઈ પણ તંદુરસ્તવ્યક્તિના આંતરડામાંથી મળ કાઢી નેતમારા આંતરડામાં સ્થાનાંતરિત કરવા માં આવે છે. તે ઘણીવાર હોસ્પિટલ અથવા ડોકટરની ઓફિસમાંકરવામાં આવે છે. આ કેવળ એક અંતિમ વિકલ્પ હોઈ શકે છે જો તમારો અતિસાર આવતો રહે અને કોઈ પણ દવાઓ મદદ ન કરે તોજ.
WhatsApp us