કોલેક્ટોમી એવી એક શસ્ત્રક્રિયા છે જેમાં તમારા ડૉક્ટર તમારા મોટા આંતરડાનો એક નાનો ભાગ અથવા એનો સંપૂર્ણભાગને શરીર માંથી કાઢી નાખે છે. મોટી આંતરડાને કોલોન (Colon) પણ કહેવામાં આવે છે.
અમુક સમસ્યાઓની સારવાર માટે,ડોકટરો કોલક્ટોમી કરી શકે છે, જેમ કે:
તમારા ડૉક્ટર તમને જણાવશે કે તમારા કોલેક્ટોમીની તૈયારી કેવી રીતે કરવી. તમારીશસ્ત્રક્રિયા પહેલાના દિવસોમાં તમને ચોક્કસ ખોરાક લેવાની અને અન્ય ખોરાકને ટાળવાની જરૂર પડી શકે છે. તમારા ડૉક્ટર જણાવશે કે શસ્ત્રક્રિયા પહેલાં તમારે ખાવાનું અને પીવાનું બંધ કરવું પડશે.
તમારા ડોક્ટર, તમને જણાવશેકે શું તમારે શસ્ત્રક્રિયા પહેલાં તમારી કોઈપણ દવાઓ “બદલવાની અથવા બંધ કરવાની જરૂર છે?”. તેઓ,તમને પહેલાથી લેવાની (જરૂરી હોય એવી) કોઈ ખાસ દવા પણ આપી શકે છે. ઉદાહરણ તરીકે, તમને કદાચ ચેપ અટકાવવા માટે એન્ટિબાયોટિક્સ (Antibiotics), વત્તા તમારા આંતરડા ખાલી કરવાની દવા મળશે [જેને “(આંતરડા)બાવેલ પ્રેપ” કહેવામાં આવે છે].
શસ્ત્રક્રિયા શરૂ થાય તે પહેલાં, તમને ઊંઘ આવે તે માટે તમને દવાઓ મળશે (એક પાતળી નળીમાંથી કે જે તમારીનસોમાં જાય છે, જેને “IV” કેહવાય છે). તમે શસ્ત્રક્રિયા ની પ્રક્રિયા વખતે જાગૃત નહીં થાઓ.
તમારા ડૉક્ટર કોલેક્ટોમી કરી શકે તે માટેના 2 મુખ્ય પદ્ધતિઓ છે:
તમારા ડૉક્ટર એ તમારી કોલોનને કાઢી નાખ્યા પછી, તેઓ ખાતરી કરશે કે મળ કાઢવા માટે તમારા શરીરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે. આ કરવા માટે, તમારા ડૉક્ટર કાં તો:
આ શસ્ત્રક્રિયા પછી, મોટાભાગના લોકો 2 થી 4 દિવસ સુધી હોસ્પિટલમાં રહે છે.
તમે ફરીથી નક્કર ખોરાક ખાતા પહેલા તમારા આંતરડાને મટાડવાની જરૂર છે. મોટાભાગના લોકો શસ્ત્રક્રિયા પછી 1 થી 2 દિવસની અંદર પ્રવાહી પી શકે છે, અને તે પછી તરત જ નક્કર ખોરાક ખાય શકે છે. જો તમારી આંતરડા મટાડવામાં વધુ સમય લે છે, તો તમારા ડૉક્ટરને તમારા હાથની નસ દ્વારા વધારાના પોષણ આપવાની જરૂર પડી શકે.જ્યાં સુધી તમે ફરીથી ખાઈ ના શકો.
આમ તો અસામાન્ય હોવા છતાં, એવી થોડીક સમસ્યાઓ છે જે કોક્લોક્ટોમી કરાવ્યા પછી થઈ શકે છે. જેમ કે:
એક વિશેષ ડૉક્ટર (જેને ઓસ્ટોમીડૉક્ટર કહેવામાં આવે છે) તમને તમારા કોલોસ્ટોમી અથવા ઇલીઓસ્ટોમીનું સંચાલન કેવી રીતે કરવું તે શીખવશે. તેઓ, તમારી મળ કાઢવાની/ નીકળવાની ગતિવિધિઓ એકત્રિત કરતી બેગને ક્યારે અને કેવી રીતે બદલવી, તે તમને શીખવશે.
ઘણા લોકોમાં, જ્યાં સુધી એમના શરીર માં રૂઝ ના આવી જાય(ટૂંકા સમય માટે), ત્યાં સુધીજ કોલોસ્ટોમી હોય છે.
જો કે મોટેભાગે, ઇમરજન્સી માં જ કોલક્ટોમી કરવામાં આવી હોય તો આવું થઇ શકે છે. મોટાભાગના લોકોને જીવનભર કોલોસ્ટોમી રાખવી પડે એવું જરૂરી નથી, પણ અમુક લોકો ને એવી જરૂર પડે છે.
જો તમને થોડા જસમય માટે કોલોસ્ટોમીની જરૂર હોય, તો તમારા કોલોનને ફરીથી કનેક્ટ કરવા (Connect)એટલે કે જોડવા માટે તમારા ડૉક્ટર પછીથી બીજી એક શસ્ત્રક્રિયા કરશે. પછી તમે સામાન્ય રીતે ફરીથી મળ કાઢવાનીપ્રક્રિયા કરી શકો છો.
WhatsApp us