અન્નનળીના કેન્સર ત્યારે થાય છે જ્યારે અન્નનળીના સામાન્ય કોષો અસામાન્ય કોષોમાં બદલાઈ જાય છે, અને નિયંત્રણમાંથી બહાર આવે છે. અન્નનળી એ એક નળી છે જે ખોરાકને મોંમાંથી પેટ તરફ લઇ જાય છે.
શરૂઆતમાં, લોકો ને કોઈ લક્ષણો નો અનુભવ થતો નથી હોતો, અથવા એવી ખાસ નોંધ નથી હોતા. તેમને કોઈ બીજી સ્થિતિ માટે પરીક્ષણ કરાવ્યા પછી અન્નનળી નું કેન્સર હોય એની ખબર પડે છે.
જ્યારે લોકોને અન્નનળીના કેન્સર થાય છે ત્યારે એના લક્ષણો નિમ્નલિખિત પ્રકારના હોઈ શકે છે:
આ બધા લક્ષણો, તેવી પરિસ્થિતિઓને કારણે પણ થઈ શકે જ્યારે કેન્સર ના હોય. પરંતુ જો તમને આ લક્ષણો છે, તો તમારા ડૉક્ટર ને જણાવો.
હા. જો તમને અન્નનળી કેન્સર હોવાની તમારા ડૉક્ટરને શંકા હોય, તો તે નીચેનામાંથી 1 અથવા વધુ પરીક્ષણો કરશે:
કેન્સર સ્ટેજીંગ (Cancer Staging) એ એક એવી રીત છે જેમાં ડૉક્ટરો શોધી એ શોધવાનો પ્રયત્ન કરે છે કે શું કેન્સરની શરૂઆત જ્યાં થઈ છે ત્યાં થી કેન્સર પેશીના સ્તરની આગળ ફેલાઈ ગયો છે કે નહીં, અને જો આમ છે તો તે કેટલી દૂર સુધી ફેલાઈ ગયો છે.
તમારા માટે યોગ્ય ઉપચાર, તમારા કેન્સરના તબક્કે, અને તમારી અન્ય તબીબી સમસ્યાઓ પર ઘણો આધાર રાખે છે.
અન્નનળી કેન્સરવાળા મોટાભાગના લોકો નીચેની 1 અથવા વધુ સારવાર કરાવી શકે છે:
એસોફેજીઅલ કેન્સર કેટલીકવાર સારવારથી પણ મટાડવામાં આવે છે. જ્યારે કેન્સર ની પ્રારંભિક તબક્કે જ ખબર પડી જાય છે, ત્યારે આ જ સંભવિત છે. જો તમારા કેન્સરનો ઇલાજ ન થઈ શકે, તો તમારા ડૉક્ટર તમારા લક્ષણો સુધારવામાં મદદ માટે અન્ય ઉપચારો કરી શકે છે. આમાં નિમ્નલિખિત હોઈ શકે છે:
તમારા અન્નનળીના અવરોધિત ભાગને પહોળો કરવા અથવા “પ્રોપ ઓપન” કરવાની પ્રક્રિયા કરવી
સારવાર પછી, કેન્સર પાછો આવે છે કે નહીં તે જોવા માટે તમારી તપાસ ઘણી વાર કરવામાં આવશે. નિયમિત ફોલો-અપ પરીક્ષણોમાં સામાન્ય રીતે ટેસ્ટ્સ, રક્ત પરીક્ષણો, અને ઇમેજિંગ પરીક્ષણો કરાવવાની હોય છે. કેટલાક લોકો એ અપર એન્ડોસ્કોપી પણ કરાવવી પડે છે.
તમારે ઉપર સૂચિબદ્ધ લક્ષણો માટે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ લક્ષણો હોવાનો અર્થ એટલે કે કેન્સર પાછો આવી ગયો છે. જો તમને કોઈ પણ લક્ષણો હોય તો તમારા ડૉક્ટર ને તરત જ જણાવો.
જો કેન્સર પાછો આવે અથવા ફેલાય, તો તમારી પાસે વધુ રેડિયેશન થેરેપી અથવા કીમોથેરાપી ની સારવાર કરાવવાનો વિકલ્પ છે. તમારા લક્ષણો સુધારવા માટે તમારી પાસે અન્ય ઉપચાર ના વિકલ્પ છે.
મુલાકાત અને પરીક્ષણો વિશે તમારા ડૉક્ટર ની બધી સૂચનાઓનું પાલન કરવું અત્યન્ત મહત્વપૂર્ણ છે. સારવાર વખતે, તમને થતી કોઈપણ આડઅસર અથવા સમસ્યાઓ વિશે તમારા ડૉક્ટર ને જાણવાનું અત્યન્ત મહત્વપૂર્ણ છે.
અન્નનળી કેન્સરની સારવાર કરાવવા માટે ઘણા વિકલ્પ માંથી નિર્ણય લેવો પડશે જેમ કે — “કઈ સારવાર કરાવવી, અથવા તો બીજું શું કરવું?”
તમારા ડૉક્ટર ને હંમેશા જણાવો કે તમને કોઈ સારવાર વિશે કેવું લાગે છે. જ્યારે પણ તમને સારવાર આપવામાં આવે, ત્યારે અવશ્ય પૂછો:
WhatsApp us