જે નળી દ્વારા ખોરાક-પાણી હોજરીમાં જાય છે તેને અન્નનળી કહીએ છીએ તે કેટલીક વાર સાંકડી થઈ જાય છે. જે માણસને લાંબા સમયથી હોજરીનો એસિડ ઊપર ચડતો (એસિડ રિફ્લ્ક્ષઅથવા ગર્ડનો રોગ) હોય તેની અન્નનળી સાંકડી થઈ જવાની શક્યતાઓ રહેલી છે. એસિડ વારંવાર હોજરીમાંથી અન્નનળીમાં આવી જતો હોયતો તેને કારણે અન્નનળીની અંદરનીદીવાલમાં ઉઝરડાં પડ્યા હોયતેવું થઈ જાય છે. આને કારણે અન્નનળી સમય જતા સાંકડી થઈ જાય છે. (અન્નનળી, હોજરીતથા નાના આંતરડાંનો શરૂઆતનો (ડ્યુઓડિનમ) ભાગ પાચનતંત્રના ઊપલો હિસ્સો ગણાય છે.)
અન્નનળી સાંકડી થઈ જવાના બીજા કારણો નીચે મુજબના હોયશકે છે
તકલીફ પડે તે આ રોગનું મુખ્યલક્ષણ છે. ડૉક્ટર તેને ‘ડાય્સ્ફેજીઆ’ કહે છે. ખાવાનું કે દવાની ગોળી ગળામાં ફસાઈ ગઈ હોયતેવું પણ તમને લાગે.આ રોગનીશરૂઆતમાં ખોરાક ગળવામાં જ તકલીફ થતી હોય છે પરંતુ સમય જતા પ્રવાહી પદાર્થો ગળવામાં પણ તકલીફ પડે છે.
જો તમને હોજરીમાંથી એસિડ ઊપરચડતો હોય (એસિડ રિફ્લ્ક્ષ) તો નીચે પ્રમાણેના લક્ષણો પણ તમે અનુભવી શકો છો-
જો આપના ડૉક્ટરને એમ લાગે કે તમને આ રોગ થયો છે તો તમને નીચે પ્રમાણેના એક અથવાબન્ને ટેસ્ટ કરાવવાનીસૂચનાઆપશે.
આ રોગની મુખ્ય સારવાર અન્નનળીને પહોળી કરવાની છે જે પ્રક્રિયાને ‘ઇસોફેગલ ડાયલેશન’ કહે છે. આ પ્રોસેસ સામાન્ય રીતે એન્ડોસ્કોપી કરતી વખતે જ કરી લેવામાં આવે છે.
જો તમારે ‘ઇસોફેગલડાયલેશન’ કરાવવાનું હોયતો ડૉક્ટર આપ રિલેક્સ રહો તેવી દવા આપે છે. ત્યાર પછી ડૉક્ટર બેમાંથી એક રીતે આ કામ કરી શકે છે-
અન્નનળી પહોળીકરવાની પ્રક્રિયા પછી દર્દી ને પ્રોટોન પમ્પ ઇન્હીબીટરથ (પી. પી. આઈ) પ્રકારની દવા આપવી પડે છે. આ પ્રકારની દવાઓ પેટમાં એસિડ થવા દેતી નથી અને આમ અન્નનળીને રુઝાવામાં મદદ મળે છે તથા તે ફરીથી સાંકડી થતી અટકાવે છે
જો અન્નનળી વધારે પડતી સાંકડી થઇ ગયી હોય અથવા તો અન્નનળી ફરી સાંકડી થયી જાય તો કેટલાક દર્દીઓને એક કરતા વધારે વખત આ પ્રક્રિયા કરવી પડે છે છતાં પણ જો દર્દી ને વધારે વખત આ પ્રક્રિયા કર્યા પછી તકલીફ રહેતી હોય તેમને અન્ય પ્રકારની સારવાર લેવાની સલાહ ડૉક્ટર આપે છે
WhatsApp us