• Äepf¡ sd“¡ gpN¡ L¡$ EgV$u ’C S>i¡ s¡“¡ EbL$p Apìep L$l¡hpe A“¡ Äepf¡ Mf¡Mf¡ ‘¡V$dp„’u Mp^¡g/‘u^¡g QuS>hõsyAp¡ dp¢ hpV¡$ blpf Aphu Åe s¡“¡ EgV$u ’C L$l¡hpe. Ap b„“¡ gnZp¡ kp’¡ S> A“ychpe R>¡ ‘f„sy L¡$V$guL$ hpf sd“¡ A¡hu buL$ gpN¡ L¡$ EgV$u ’C S>i¡ ‘Z EgV$u ’pe “l] A“¡ L¡$V$guL$ hNf sd“¡ EbL$p Apìep hNf S> EgV$u ’C Åe R>¡.

પાચનતંત્રના ક્યા ભાગમાંથી (ઊપરના કે નીચેના ભાગ) લોહી નીકળે છે તે પ્રમાણે લક્ષણો પણ અલગ અલગ હોય છે. કેટલાક દદર્ીઓમાં કોઇ પણ લક્ષણો જણાતા નથી. જ્યારે ડૉક્ટર તેના મળાશયની તપાસ કરે કે લોહીની તપાસમાં જ્યારે ખબર પડે કે દદર્ીને એનેમિયા છે ત્યારે જ તેને પાચનતંત્રના અવયવમાંથી લોહી નીકળે છે તેની જાણ થાય છે. એનેમિયાના કેસમાં દર્દી ના લોહીમા રહેલા લાલ કણોની સંખ્યામાં બહુ ઘટી ગઈ હોય છે.

પાચનતંત્રના ઊપરના ભાગમાં રક્તસ્રાવ થતો હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.

  • લોહીની ઊલ્ટી થવી અથવા ઊલટી થાય તેનો રંગ કોફી-પાવડર જેવો હોય છે.
  • ઝાડો કાળાશ પડતા રંગનો હોય. (જ્યારે પાચનતંત્રના નીચલા ભાગમાંથી લોહી નીકળતું હોય ત્યારે આવી શક્યતા વધારે હોય છે.) જો કે આવા કિસ્સાની સંખ્યા ઓછી હોય છે.

પાચનતંત્રના નીચલા ભાગમાં રક્તસ્રાવ થતો હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.

  • ઝાડો લોહીવાળો હોય (પાચનતંત્રના ઊપરના ભાગમાં રક્તસ્રાવ થતો હોય ત્યારે પણ આવું થઈ શકે છે. જો કે આવા કિસ્સા બહુ જ ઓછા બને છે.)

પાચનતંત્રના કોઇપણ ભાગમાંથી લોહી નીકળતું હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.

  • નબળાઈ લાગવી, માથું હલકું લાગવું અથવા તો ચક્કર આવતા હોય તેવું લાગે કે શરીરનું સમતોલપણું જાળવવામાં થોડી તકલીફ લાગતી હોય. (જ્યારે રક્તસ્રાવનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે આવી શક્યતાઓ વધી જાય છે.)
  • હૃદયના ધબકારા વધી જવા. (જ્યારે લોહી વધારે નીકળતું હોય ત્યારે આવું થવાની સંભાવના રહે છે.)
  • પગ ખેંચાય કે પેટના કોઇ પણ હિસ્સામાં દુઃખાવો થતો હોય.
  • ઝાડા થઈ જવા.
  • ચામડી નિસ્તેજ થઈ જવી.

જો નીચેનામાંથી કોઇ પણ લક્ષણ જણાય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઇએ.

  • લોહીની ઊલટી થાય કે ઊલટીનો રંગ કોફી-પાવડર જેવો હોય.
  • જો ઝાડાનો રંગ કાળાશ પડતો હોય કે તેમાં લોહી દેખાતું હોય.
  • નબળાઈ લાગવી, માથું હલકું લાગવું અથવા તો ચક્કર આવતા હોય તેવું લાગે કે શરીરનું સમતોલપણું જાળવવામાં થોડી તકલીફ લાગતી હોય.
  • હૃદયના ધબકારાની ગતિ એકદમ વધી જાય.
  • પેટમાં સખત દુઃખાવો થતો હોય.
  • સામાન્ય રીતે હોય તેના કરતા દર્દી ઘણો વધારે નિસ્તેજ દેખાતો હોય.

સામાન્ય રીતે નીચેના કારણો રક્તસ્રાવ માટે જવાબદાર હોય છે.

  • હોજરીમાં અથવા નાના આંતરડામાં ચાંદી પડી હોય (અલ્સર થયું હોય).
  • અન્નનળીમાં આવેલી નસોમાં સોજો આવી ગયો હોય. અંગ્રેજીમાં તેને ‘વેરાયસિસ’ કહે છે.
  • લોહીની નળીઓ અસામાન્ય હોય જેને અંગ્રેજીમાં ‘આર્ટિરિયોવીનસ માલફોર્મેશન’ કહે છે.
  • ડાયવર્ટિક્યુલોસિસ. આવું થાય ત્યારે આંતરડાની અંદરની લાયનિંગ પર ઝીણી ઝીણી ફોલ્લી થાય છે.
  • ક્રોહ્‌નનો રોગ અથવા અલ્સરેટીવ કોલાઇટીસ (આંતરડાની અંદર સોજો આવી જવાથી થતો રક્તસ્રાવ).
  • મળાશયમાં સોજેલી નસો હોય અથવા તો ગુદાની આસપાસ ચીરા પડ્યા હોય.
  • કેન્સર (કેન્સરને કારણે બહુ જ ઓછા કિસ્સામાં લોહી નીકળતું હોય છે).

જો આપના ડૉક્ટરને શંકા જાય કે આપના પાચનતંત્રના કોઇ અવયવમાંથી લોહી નીકળે છે તો નીચે જણાવેલ ટેસ્ટમાંથી એક અથવા વધારે ટેસ્ટ કરાવવાની સલાહ આપશેઃ-

  • લોહીની તપાસ
  • રક્તકણોની સંખ્યા બરાબર છે કે નહીં તે જાણવા
  • લોહીની ગંઠાવાની પ્રક્રિયા બરાબર છે કે નહીં
  • લિવર બરાબર કામ કરે છે કે નહીં
  • પાચનતંત્રના ઊપરના ભાગની એન્ડોસ્કોપી – આ પરીક્ષણ (ટેસ્ટ) કરતા પહેલા ડૉક્ટર આપને દવા આપશે જેથી આપ તંદ્રાવસ્થામાં આવી જાઓ અને આરામદાયક સ્થિતિમાં રહો. ત્યાર પછી આપના મુખ વાટે એક નળી ગળાની નીચે ઊતારશે. આ નળીના આગળના ભાગે પ્રકાશ ફેંકતો નાનો ગોળો હોય છે અને એક કેમેરા પણ હોય છે જે પાચનતંત્રના અવયવના અંદરના ભાગના ફોટા પાડે છે જે ડૉક્ટરને તેના ટીવી પર દેખાય છે. આ ફોટાઓનો અભ્યાસ કરી ડૉક્ટર રક્તસ્રાવના કારણો જાણી શકે છે. કેટલાક કિસ્સામાં જો કોઇ ભાગમાં લોહી નીકળતું દેખાય તો ડૉક્ટર એક યંત્રનો ઉપયોગ કરી તે બંધ કરી શકે છે.
  • કોલોનોસ્કોપી – આ ટેસ્ટમાં પણ ઊપર મુજબની જ પ્રક્રિયા હોય છે પરંતુ નળીને ગુદા દ્વાર વાટે પાચનતંત્રના નીચલા અવયવોમાં દાખલ કરવામાં આવે છે.

(કોલોનોસ્કોપીના ટેસ્ટ દરમ્યાન ડૉક્ટર આપને પડખાભેર સૂવાનું કહે છે અને એક નળી જેના આગલા ભાગમાં એક કેમેરા હોય છે તે ગુદાદ્વાર વાટે મળાશયમાં દાખલ કરી મોટા આંતરડા સુધી લઈ જાય છે. નળીના આગલા ભાગમાં રહેલો કેમેરા અંદરના ફોટા પાડે છે જે ડૉકરના ટીવીના પડદા પર દેખાય છે. તેેને જોઇને આપના રોગના કારણની જાણકારી મળે છે અને નિદાન થઈ શકે છે.)

  • ઇમેજીંગ ટેસ્ટ – આ પ્રકારના ટેસ્ટમાં ડૉક્ટર એક પ્રકારની ડાય અથવા તો એકદમ જ હળવા પ્રકારનું રેડિઓ એક્ટીવ રસાયણ (રેડિયમ જેમ એકદમ આછા અજવાળામાં ચમકતો પદાર્થ) આપના લોહીમાં દાખલ કરે છે અને લોહી શરીરના જે જે અંગોમાં જાય તે ભાગનો અભ્યાસ કરવામાં આવે છે.
  • કેપ્સ્યુલથી ફોટા પાડવાનો ટેસ્ટ – વિટામીનની કેપ્સ્યુલ જેટલા માપનો એક કેમેરા આપને ગળી જવા માટે આપવામાં આવે છે. આ કેમેરા પાચનતંત્રની અંદરના ફોટા પાડી ડીવીડી અથવા પેનડ્રાઈવ જેવા રેકોર્ડ થઈ જાય તેવા સાધનને મોકલે છે. આ ફોટાનો ડૉક્ટર અભ્યાસ કરે છે. આ સાધનની ઉપયોગિતા એ છે કે નાનું આંતરડું જેની લંબાઈ વધારે હોય છે તેના દરેક ભાગ એન્ડોસ્કોપી કે કોલોનોસ્કોપીના સમયે પૂરેપૂરો જોવા મળતો નથી તેને પણ આ ફોટાઓ દ્વારા જોઇ શકાય છે. આ કેમેરા મળત્યાગના સમયે શરીરની બહાર નીકળી જાય છે અને ઘણા બધા દર્દી ને  તેની ખબર પણ નથી પડતી.
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on whatsapp
WhatsApp
Share on email
Email
Share on skype
Skype
Share on telegram
Telegram